અયોધ્યામાં અભિનેત્રીએ વિવિધ ધાર્મિક વિધિઓમાં લીધો ભાગ
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને સમગ્ર દેશ ભાવુક છે. ભગવાન રામ સદીઓ પછી પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. આ ખૂબ જ ભાગ્યશાળી દિવસ છે. અયોધ્યા પહોંચેલી અભિનેત્રી કંગના રનૌતે કહ્યું કે અમારી પાસે આ દિવસનું વર્ણન કરવા માટે શબ્દો નથી. કંગના આ દરમ્યાન જગદગુરુ રામભદ્રાચાર્યને પણ મળી હતી.
કંગના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા માટે અયોધ્યામાં છે. આ દરમિયાન તે ધાર્મિક વિધિઓમાં પણ ભાગ લઈ રહી છે. તે જગદગુરુ રામભદ્રાચાર્યને પણ મળી હતી.
કંગનાએ કહ્યું કે 22મીએ બધાએ રામભક્તિમાં લીન થઈ જવું જોઈએ. સનાતન ધર્મ માટે આ એક યાદગાર દિવસ છે. અયોધ્યા આપણી સનાતન સંસ્કૃતિનો અભિન્ન અંગ છે અને હવે તેની જૂની ભવ્યતા પાછી આવી રહી છે.
જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું કે ખૂબ જ સદભાગ્યે આ તક આવી છે જ્યારે ભગવાન રામ અયોધ્યા પરત ફરી રહ્યા છે.
અભિનેત્રી કંગના રનૌતે પણ યજ્ઞમાં ભાગ લીધો હતો.
કંગના રનૌતે કહ્યું કે સદીઓ પછી આ ભાગ્યશાળી ક્ષણ પાછી આવી છે. આખો દેશ રામમય બની ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર કોવિડની બીમારી સામે સજ્જ
May 23, 2025 05:17 PMજામનગરમા વાવાઝોડાની શક્યતાના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
May 23, 2025 05:13 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech