કડીયાપ્લોટનું રેલ્વેફાટક ૪૮ કલાક સુધી રહેશે બંધ

  • May 24, 2025 02:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના કડીયાપ્લોટ વિસ્તારમાં આવેલુ રેલ્વેફાટક સમારકામ અનુસંધાને ૪૮ કલાક સુધી બંધ રહેવાનું છે તેથી આ વિસ્તારનાહજારો લોકોની પરેશાની ખૂબ વધી જશે. આમ પણ દિવસમાં વારંવાર આ રેલ્વેફાટક બંધ થાય છે તેથી આ વિસ્તારના લોકો મુશ્કેલીથી ટેવાઇ ગયા છે પણ હવે સળંગ ૪૮ કલાક સુધી બંધ રહેશે તેથી પરેશાની વધશે.
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિજ્ઞેશ કારીયાએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે ડી.આર.યુ.સી.સી.ના મેમ્બર તરીકે તેમને રેલ્વેતંત્ર દ્વારા જણાવાયુ હતુ કે પોરબંદરના કડીયાપ્લોટમાં આવેલ રેલ્વેફાટક ઓવરહોડીંગ (ફાટક આસપાસ સમારકામ)ની કામગીરી અનુસંધાને ૪૮ કલાક સુધી બંધ રહેશે. જેમાં તા. ૨૪-૫ ને શનિવારે રાત્રે ૮ વાગ્યાથી તા. ૨૬-૫- સોમવારે સવારે ૮ વાગ્યા સુધી ફાટક બંધ રહેશે તેવી યાદી પાઠવવામાં આવી છે અને લોકો પણ સહકાર આપે તેવી અપીલ થઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application