શાળામાં બાળકોની જેમજ વૃક્ષોનો ઉછેર પણ અનિવાર્ય: પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી ભાનુપ્રકાશદાસજી

  • June 06, 2025 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના છાયામાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે સંસ્થાના શાસ્ત્રી સ્વામી શ્રીભાનુ પ્રકાશદાસજીએ એવુ જણાવ્યુ હતુ કે શાળામાં જે રીતે બાળકોના જતન અને જાળવણી દ્વારા ઉછેર થાય છે એ જ રીતે વૃક્ષોના જતન અને જાળવણી થવા જોઇએ.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, છાયા-પોરબંદર સંચાલિત શ્રી સહજાનંદસ્વામી જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, છાયાના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીના શુભાશિષ તથા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, છાયાના મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજીના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ  વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ ગુ‚કુળના વિશાળ મેદાનમાં  વિવિધ વૃક્ષો  જેવા કે કેસુડો, ગરમાળો, ગુલમહોર, વડ, પીપળા, લીમડાનું વાવેતર થયુ હતુ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને પર્યાવરણ જનજાગૃતિ માટે હંમેશા વિવિધ કાર્યક્રમોનું આયોજન થતુ રહે છે.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, છાયા દ્વારા વૃક્ષારોપણ કરી સામાજિક જવાબદારીનું ઉદાહરણ રજૂ કર્યુ. વૃક્ષારોપણ એક દિવસનું નહી પરંતુ જીવનભરનો સંકલ્પ છે. કાર્યક્રમમાં સંસ્થાના આર.પી.બદીયાણી એન્ડ એસ.આર. બદીયાણી ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગના ડાયરેકટ અરવિંદભાઇ રાજ્યગુરુ તથા પ્રિન્સિપાલ અઝીઝા હાથલીયા, ડી.ડી.કે.એમ. લો કોલેજના પ્રિન્સપાલ ડો. વિજયસિંહ સોઢા, શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઇ.ટી.ના કેમ્પસ ડાયરેકટર સુમિતકુમાર આચાર્ય, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીના ડાયરેકટર પાયલબેન ઠકરાર, શ્રી સ્વામિનારાયણ  હર્ષાબેન પદુભાઇ રાયચુરા કોલેજ ઓફ કોમર્સના એચ.ઓ.ડી. અભિષેકભાઇ અભાણી, શ્રી સ્વામિનારાયણ અનિકાબેન અશ્ર્વિનભાઇ કોટડીયા બી.બી.એ. કોલેજના એચ.ઓ.ડી. કિશનભાઇ દત્તાણી, સ્વામિનારાયણ ગુરુકુલ, સી.બી. એસ.ઇ. સ્કૂલના પ્રિન્સીપાલ અર્ચનાબેન થાનકી, શ્રી સ્વામિનારાયણ ઇંગ્લીશ હાયર સેક્ધડરી સ્કૂલના પ્રિન્સીપાલ જયેશભાઇ બામણીયા,શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયના પ્રિન્સીપાલ   ભૂમિકાબેન ચાવડા અનેશ્રી સહજાનંદસ્વામી જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના સાયન્સ કો-ઓર્ડીનેટર વિવેકભાઇ  ભટ્ટ ખાસ હાજર રહ્યા હતા. વૃક્ષારોપણના અંતે તમામને વૃક્ષોના પાલન અને વૃક્ષના સંરક્ષણ અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા. વૃક્ષારોપણ માત્ર વૃક્ષો વાવવા પૂરતા નહી પરંતુ આપણને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું સ્મરણ કરાવે છે. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ છાયાના મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજીએ જણાવ્યુ હતુ કે પર્યાવરણનું સંરક્ષણ આપણા સૌ માટે ખૂબજ જ‚રી છે. આ કાર્યક્રમ દ્વારા આપણે ભવિષ્યની પેઢી માટે સ્વચ્છ અને હારિત પર્યાવરણ રચવા માટે એક નાનુ પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છીએ. વૃક્ષો માત્ર પ્રકૃતિને જ નહી પરંતુ સમગ્ર માનવજાતને પણ જીવન આપે છે. ઉપરાંત આ વર્ષના વિશ્ર્વ પર્યાવરણ દિવસની થીમ પ્લાસ્ટિક પ્રદૂષણ સામે લડત પર પણ ચર્ચા કરી હતી અને સંસ્થાના તમામ પ્રિન્સિપાલો, વાઇસ પ્રિન્સિપાલો તથા શિક્ષકોને સંસ્થાના કેમ્પસમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી દૂર તથા અન્ય પ્લાસ્ટિકના વિવેકપૂર્ણ ઉપયોગ કરવા સૂચન કરેલ હતુ. તથા સમગ્ર વર્ષ દરમિયાન વૃક્ષારોપણ અને વૃક્ષ સંરક્ષણ માટે વિવિધ કાર્યક્રમો અને જાગૃતિ અભિયાન ચલાવવા અનુરોધ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application