રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં જન્માષ્ટ્રમીના તહેવારો નિમિતે વેપારીઓની માંગણીને અનુલક્ષીને ચેરમેન જયેશભાઇ બોઘરા અને વાઇસ ચેરમેન વિજયભાઇ કોરાટના આદેશથી આઠ દિવસનું મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.તા.૨૬ ઓગષ્ટ્રને સોમવારથી યાર્ડમાં હરરાજી સહિતના કામકાજ બધં થશે જે તા.૨ સપ્ટેમ્બરને સોમવાર સુધી બધં રહેશે. યારે તા.૩ સપ્ટેમ્બરથી રાબેતા મુજબ વેપાર શ થશે. વિશેષમાં ચેરમેન અને વાઇસ ચેરમેનના આદેશથી યાર્ડના સેક્રેટરી બી.આર.તેજાણી દ્રારા જન્માષ્ટ્રમીની રજાનો પરિપત્ર પ્રસિધ્ધ કરાયો છે, જેમાં જણાવ્યા મુજબ મુખ્ય બેડી યાર્ડ ખાતે તા.૨૬ ઓગષ્ટ્રને સોમવારથી તા.૨ સપ્ટેમ્બરને સોમવાર સુધી સળગં એક સાહની રજા, જુના યાર્ડ સ્થિત શાકભાજી વિભાગમાં તા.૨૫થી ૨૮ ઓગષ્ટ્ર સુધી ચાર દિવસ, બટેટા વિભાગમાં તા.૨૫થી ૨૭ ઓગષ્ટ્ર સુધી ત્રણ દિવસ, ડુંગળી વિભાગમાં તા.૨૫થી ૨૮ ઓગષ્ટ્ર સુધી ચાર દિવસ તથા ઘાસચારા વિભાગમાં તા.૨૬થી ૨૭ સુધી બે દિવસ રજા રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર્રના અન્ય તમામ માર્કેટ યાર્ડ પણ રાજકોટ માર્કેટ યાર્ડને અનુસરતા હોય અન્ય યાર્ડમાં હવે આવતીકાલથી જન્માષ્ટ્રમીની રજા અંગેની તારીખ જાહેર કરવામાં આવશે, એકંદરે સૌરાષ્ટ્ર્રના તમામ માર્કેટ યાર્ડમાં ત્રણ દિવસથી એક સાહ સુધીની પરંપરાગત રજા રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાળને નેચરલી બ્લેક કરવા માટે, મહેંદીમાં મિક્સ કરો આ 3 વસ્તુઓ
May 20, 2025 05:07 PMઉપલેટામાં સ્વ. નર્મદાબેન સીણોજીયા ની સ્મૃતિમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
May 20, 2025 05:01 PMરાજકોટ : પોલીસ પર પથ્થરમારો અને વાહનમાં તોડફોડ કરનાર 20 આરોપીની ધરપકડ
May 20, 2025 04:57 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech