જામ્યુકોની ફૂડ શાખા દ્વારા કાલાવડ નાકા બહાર આવેલા કતલખાનાઓમાં ચેકિંગ

  • June 06, 2025 11:06 AM 

જેની કુરબાની દેવાની હોય તે સિવાયની અન્ય વસ્તુઓનું કટીંગ નહીં કરવા માટે તંત્રની કડક સુચના

જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા આગામી બકરી ઈદના તહેવારને અનુલક્ષીને કાલાવડ નાકા બહાર આવેલા કતલખાનામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત જેની કુરબાની દેવાની હોય તે જ વસ્તુનું કટીંગ કરવા અને અન્ય કોઈ પ્રતિબંધિત પશુઓની કતલ નહીં કરવા માટેની જરૂરી સૂચનાઓ આપી હતી.

જામનગર મહાનગરપાલિકા ની યાદી જણાવે છે કે અહિંસા મહાસંઘ ગુજરાત રાજ્યનો આગામી બકરી ઈદ તહેવાર નિમિતે પ્રાણીઓના ટ્રાન્સપોર્ટશન સહિત વિવિધ કાનૂની જોગવાઈઓનું વિશાળ પ્રાણી હિતમાં પાલન થવા અંગેના ૭ જુનના રોજ બકરી ઈદનો તહેવાર હોય જે તહેવાર રાજ્યભરમાં મનાવવામાં આવનાર છે.

જે બાબતને ધ્યાનમાં રાખી જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગેરકાનૂની પ્રતિબંધિત પ્રાણીઓનો ધાર્મિક હેતુસર ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમન ૧૯૫૪ હેઠળ પ્રતિબંધ ફરમાંવવામાં આવેલ છે તેવા પ્રાણીઓની (ગાય અને ગૌવંશ) કતલ/કુરબાની ન થાય વધુમાં ધાર્મિક હેતુસર ભેંસ અને ભેંસ વર્ગના પ્રાણીઓની કુરબાની પર કાનૂની પ્રતિબંધ હોય કુરેશી૫ કસાઈ જમાત કતલખાના ટ્રસ્ટને તાકીદ કરી નોટીસ આપવામાં આવે છે.

વધુમાં જો તહેવાર અનુસંધાને પ્રતિબંધિત અથવા ગેરકાયદેસર પ્રાણીઓની કતલ કરવામાં આવશે, તો ગુજરાત પ્રાણી સરક્ષણ અધિનિયમન ૧૯૫૪ના ઉલ્લંઘન બદલ આગળની કાર્યવાહી કરવામાં આવશે, તેવી નોટીસ આપવામાં આવેલ છે. જેની લગતા વળગતાઓએ નોંધ લેવા અનુરોધ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application