3 પશુઓના વાડા અને 3 ઘાસનો જથ્થો ભરેલા વાડા સહિતની 30 હજાર ફુટ જમીન ખુલી કરાવાઇ
જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર ઢોર વાડા અને ઘાસ રાખવા માટેના ડેપો બની ગયા છે, જે લોકોને પણ નડતરપ છે, કોર્પોરેશનની જમીન ઉપર બની ગયેલા 3 પશુ વાડા અને 3 ઘાસના વાડા ઉપર આજે સવારે જામ્યુકોનું બુલડોઝર ફરી વળ્યું છે, કાલાવડ નાકા બહાર આવેલ 6 વાડાથી લોકો પણ પરેશાન હતાં, લોકોની ફરિયાદને ઘ્યાનમાં લઇને મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ આ તમામ ગેરકાયદેસર દબાણો દુર કરવા એસ્ટેટને આદેશ કરતા આજ સવારથી જ ઓપરેશન શ થયું હતું અને બપોર સુધીમાં લગભગ 30 હજાર ફુટ જેટલી દબાણ કરેલી જમીન દુર કરી દેવામાં આવી હતી.
એસ્ટેટના વડા મુકેશ વરણવા અને નિતીન દીક્ષીતની સાથે અનવર ગજણ સહિતનો સ્ટાફ પોલીસના બંદોબસ્ત સાથે કાલાવડ નાકા બહાર આવેલા પુલ પાસે ગેરકાયદેસર થઇ ગયેલા ઘાસ અને પશુ વાડાઓ દુર કરવા માટે દોડી ગયા હતાં અને થોડી વારમાં જ ઓપરેશન શ કરવામાં આવ્યું હતું, જો કે થોડા દિવસ બાદ રીવરફ્રન્ટનો પ્રોજેકટ શ થશે ત્યારે લગભગ 340 જેટલા ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફરી વળશે, આ માટે એકશન પ્લાન ઘડાઇ રહ્યો છે ત્યારે આ ઓપરેશન શ થાય તેની રાહ જોવાઇ રહી છે.
સવારે ગેરકાયદેસર બાંધકામો દુર કરવા માટે એસ્ટેટની ટીમ પહોંચી ત્યારે લોકોના ટોળા એકઠાં થયા હતાં અને જેસીબીની મદદથી તાત્કાલીક અસરથી આ તમામ બાંધકામો દુર કરી દેવામાં આવ્યા છે. જામનગર શહેરમાં કેટલ પોલીસી અમલ કરવા માટે કોર્પોરેશને નિરધાર કર્યો છે, હજુ બે દિવસ પહેલા જલારામનગર વિસ્તારમાં માલધારીઓની સાથે મીટીંગ કરીને તેમના ઢોર જાહેરમાં ન છોડવા સુચના આપી હતી અને જો ઢોર પકડાશે તો કડક હાથે કામ લેવામાં આવશે. શહેરમાં કોઇપણ જાહેર સ્થળોએ ઘાસચારો નાખવાની મનાય છે અને કેટલ પોલીસીમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, આ પોલીસીનો અમલ કરવા ડીએમસી ઝાલા સહિતના અધિકારીઓ મેદાનમાં ઉતયર્િ છે, આગામી દિવસોમાં હજુ પણ કેટલાક ગેરકાયદેસર બાંધકામો ઉપર તવાઇ બોલાવવામાં આવશે તેમ જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech