નવી દિલ્હી ખાતે ગુજરાતના વિદાય લઇ રહેલા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના આલીશાન નિવાસસ્થાને સ્નેહમિલનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નંદા, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં ગુજરાતના સાંસદો, ધારાસભ્યો, સંગઠ્ઠનના સૂત્રધારોએ હાજરી આપી હતી, ગ્રુપમાં ખેંચાયેલી તસ્વીરમાં કેન્દ્રીય કક્ષાના ભાજપના દિગ્ગજોની સાથે જામનગરથી ગયેલી ભાજપની ટીમ જોવા મળે છે, જેમાં સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, મેઘજીભાઇ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઇ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા સહિતના ગુજરાતના ભાજપના ધારાસભ્યો અને સંગઠ્ઠનના વડાઓ નજરે પડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech