જામનગર : ગુજરાત સરકારના આદેશોનુસાર 4 કેદીઓને જેલમુક્ત કરાયા

  • February 25, 2025 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસ મહનિર્દેશક અને જેલોના ઈન્સપેકટર જનરલ, ડો.કે.એલ.એન.રાવ દ્વારા આજીવન કેદની સજા પામેલા અને કોરા ૧૪ વર્ષ પુર્ણ કરેલ હોઈ અને જેલમાં સારી વર્તણુક ધરાવતા કેદીઓને વહેલી તકે માફી મળે તે માટેના હકારાત્મક પ્રયત્નોનો થકી ગઈકાલના રોજ ગૃહ વિભાગ, ગુજરાત સરકારના આદેશોનુસાર 4 કેદીઓને જેલમુક્ત કરાયા.


જામનગર જીલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી (1) અલી હારૂનભાઈ ગંઢાર (2) બચું હારૂનભાઈ ગંઢાર (3) ઇબ્રાહીમ કાસમભાઈ ગંઢાર અને (4) આમીન હાસમભાઈ ભગાડ આમ કુલ -04  કેદીઓને બી.એન.એસ.એસ.2023 ની કલમ 473 હેઠળ બાકીની સજા માફ કરી વહેલી જેલ મુકિત ઉપર છોડવાનો હુકમ કરતાં ઉપરોકત કુલ 04 મજકુર કેદીઓને શરતો આધિન આજરોજ જેલ મુકત કરેલ છે. 


તેમજ તેમના જેલ જીવનના અનુભવો રેકોર્ડીંગ કરવામાં આવેલ છે.


​​​​​​​ તથા તેઓને ફુલહાર કરી મોં મીંઠુ કરાવી ધાર્મિક પુસ્તકો તેમજ પોતાની પોસ્ટ ની પાસબુક આપી સમાજમાં પુન:સ્થાપનની શુભેચ્છાઓ પાઠવી જેલ મુક્ત કરવામાં આવેલ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application