એશિયામાં વસ્તી વધારો ચિંતા મુદ્દો છે જ્યારે પૃથ્વી પર અન્ય સ્થાનો છે, જેમ કે દૂરસ્થ ઇટાલિયન ટાપુ અલીકુડી, જ્યાં મનુષ્ય અને પ્રાણીઓનો ગુણોત્તર ખરાબ રીતે અસંતુલિત બની ગયો છે. સીએનએનના અહેવાલ મુજબ, નાના ટાપુ પર માત્ર 100 જેટલા રહેવાસીઓની સામે લગભગ 600થી વધુ જંગલી બકરીઓને કારણે સમસ્યા પેદા થઇ રહી છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ ટાપુ પર બકરીઓના રહેવાસીઓ તેમની ઇચ્છિત સંખ્યામાં છ ગણી વૃદ્ધિ પામ્યા છે અને અન્ય જગ્યાએ કરતાં માથાદીઠ વધુ પ્રાણીઓ છે. આ મુદ્દો માથાનો દુખાવો બની જતાં, મેયર રિકાર્ડો ગુલોએ બહારની દુનિયાના કોઈ પણ માણસને ત્યાંથી મફત બકરીઓ લઇ જવાની અપીલ કરી છે.
ઇટાલિયન ટાપુ અલીકુડીએ બકરી દત્તક કાર્યક્રમ પણ શરૂ કર્યો છે કારણ કે સ્થાનિક સત્તાવાળા પ્રાણીઓની સામુહિક કતલ કરતા નથી. તેમણે જણાવ્યું હતું કે બકરીઓએ રહેણાંક વિસ્તારો પર અતિક્રમણ કર્યું છે, ઘરો પર આક્રમણ કર્યું છે, જાહેર ઉદ્યાનો, ખાનગી બગીચાઓમાં ભેલાણ કરી મુક્યું છે. જે મળે તે બધું ચાવી જાય છે અને પથ્થરની દિવાલો પર ચઢી જાય છે જેનાથી આ દીવાલો તૂટી પડે છે. સિસિલિયન પ્રાદેશિક સરકાર દાવો કરે છે કે લગભગ 20 વર્ષ પહેલાં એક ખેડૂત આ બકરાઓને ટાપુ પર લાવ્યો હતો.
મેયરે જણાવ્યું હતું કે જે લોકો 50 જેટલા બકરાઓ લેવા માટે રસ ધરાવતા હોય તેઓ 10 એપ્રિલ સુધીમાં સત્તાવાર વિનંતી કરી શકે છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે જ્યાં સુધી તમામ બકરાઓ દત્તક લેવામાં ન આવે ત્યાં સુધી તેઓ સમયમયર્દિા આપશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના ૩૦૬૬ બાળકો ખાનગી શાળામાં ફ્રી પ્રવેશથી વંચિત
April 19, 2025 12:10 PMજામનગર-દ્વારકા જિલ્લાના ૩ ચીફ ઓફીસરની નિમણુંક કરાશે
April 19, 2025 12:07 PMભુજીયા કોઠા પાસેનો પેેટ્રોલ પંપ ખસેડવા માટેના પ્રયાસો શરૂ
April 19, 2025 12:05 PMજામનગરમા કોર્પોરેટરનો અનોખો વિરોધ
April 19, 2025 12:04 PMદરેડમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના કચરામાં આગથી દોડધામ
April 19, 2025 12:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech