જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં સફાઈ યોગ્ય ન થતી હોવાના અભિપ્રાય છતાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ડીજી નાકરાણીને દર મહિને 10થી 12 લાખની રકમ ચૂકવી દેવાતા અનેક પ્રશ્નાર્થ સર્જાયા છે. મનપા અને કલેક્ટર તંત્ર દ્વારા યોગ્ય સફાઈ થતી ન હોવાની જાણ કરી છતાં પણ એજન્સી પ્રત્યે લાગણી દશર્વિતા પ્રશ્નાર્થ સર્જાયા છે.
યાત્રાધામ ભવનાથમાં દર વર્ષે લાખો યાત્રિકો અને પ્રવાસીઓ આવે છે. ભવનાથની સફાઈ માટેની જવાબદારી યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ભવનાથ સફાઈનું ટેન્ડર ડીજી નાકરાણી એજન્સીને આપવામાં આવ્યું છે અને દર મહિને અંદાજિત 10થી 12 લાખની રકમનું ચૂકવણું કરવામાં આવે છે. એજન્સી ને સફાઈ ના રૂપિયા ચૂકવતા પહેલા કલેકટર નો સફાઈ અંગેનો અભિપ્રાય લેવામાં આવે છે અને કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારીને તેની જવાબદારી સોંપવામાં આવી છે.
પ્રાંત અધિકારી દ્વારા સફાઈ મામલે જુનાગઢ મહાનગરપાલિકા નો અભિપ્રાય લેવામાં આવે છે અને મહાનગરપાલિકા દ્વારા ભવનાથમાં ઘણા સમયથી સફાઈની કામગીરી યોગ્ય રીતે થતી ન હોવાનો અભિપ્રાય આપવામાં આવ્યો છે જેથી પ્રાંત અધિકારી દ્વારા તેની ખરાઈ કરી પ્રવાસન વિભાગમાં સફાઈની કામગીરી બરાબર થતી નથી તેવો અભિપ્રાય મોકલવામાં આવી રહ્યો છે. અને સફાઈ એજન્સી ડીજી નાકરાણીને રકમ ચૂકવવા પાત્ર નથી તેઓ પણ અભિપ્રાય હોવા છતાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એજન્સીને રૂપિયા ચૂકવી દેવામાં આવે છે. સફાઈ અભિયાનની ગુલબાંગો વચ્ચે પવિત્ર યાત્રાધામમાં ઉકરડા અને ગંદકીના ગંજ જોવા મળે છે ત્યારે ખાનગી એજન્સી દ્વારા કામગીરી ન થતી હોવાથી મહાનગરપાલિકાની છાપ પણ ખરડાઈ છે. જેથી પ્રાંત દ્વારા સફાઈ ન થતી હોવાના અભિપ્રાય છતાં યાત્રાધામ વિકાસ બોર્ડ ડીજી નાકરાણી સામે કાર્યવાહી કરવાને બદલે તેને રકમ ચૂકવણી કરવામાં આવતા અને ચચર્ઓિ થઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં લાલ પરિવારના ટ્રસ્ટો દ્વારા રક્તદાન યજ્ઞમાં રપર નાગિરકોનું રક્તદાન
May 19, 2025 11:18 AMકોડીનાર શિંગોડા નદીમાં ડૂબી જતાં બે બાળકોના મૃત્યુથી શોકનો માહોલ
May 19, 2025 11:17 AMઆઇશર, ડમ્પરમાંથી બેટરી ચોરી કરેલ શખસો ગણતરીની કલાકોમાં ઝડપાયા
May 19, 2025 11:15 AMજામજોધપુર માર્કેટિંગ યાર્ડની પેઢીના ત્રણ વેપારીઓે છેતરપિંડીના ગુનામાં જેલહવાલે
May 19, 2025 11:14 AMજામવણથલી રેલ્વે સ્ટેશન:ત્રણ કરોડથી વધુના ખર્ચે કાયાકલપ
May 19, 2025 11:12 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech