દીકરીઓમાં બાળપણથી જ આધ્યાત્મિક મુલ્યોનો વિકાસ થાય, સંસ્કારોનું સિંચન થાય અને સર્વાંગી કેળવણી મળે એ ધ્યેયને સાબિત કરતી સંસ્થા એટલે ભાટીયા ગામે આવેલી સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલ. આ હોસ્ટેલમાં શિક્ષણની સાથે સાથે દીકરીઓ તમામ ક્ષેત્રે આગળ વધે. જીવનના વધારેમાં વધારે અનુભવો મળે તથા વિદ્યાર્થી અવસ્થામાં પોતાનો સ્વ વિકાસ કરી શકે એવા ધ્યેયો સાથે આ હોસ્ટેલ ચલાવવામાં આવે છે. જેના ભાગરૂપે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ સ્થાપના કરવામાં આવી હતી. નવ દિવસ હોસ્ટેલમાં સવાર-સાંજ પૂજા-આરતી કરવામાં આવી હતી. બાદમાં વિધિવત દીકરીઓ દ્વારા શોભાયાત્રા કાઢીને ભાટીયા ગામના કેશરીયા તળાવમાં વિઘ્નહર્તા દેવ ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલના સંચાલક જેતીબેન ચાવડા દ્વારા સૌ દીકરીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech