બે દિવસમાં 70 લોકોના નિવેદન લેવાયા બાદ ડીનને રીપોર્ટ સોંપાયો: હવે અંતિમ અહેવાલ આરોગ્ય વિભાગને મોકલાશે
જામનગરની મેડીકલ કોલેજમાં એક તબીબ સામે થયેલા જાતીય સતામણીના આક્ષેપો અંગે ડીન ડો.નંદીનીબેન દેસાઇ દ્વારા એક તપાસ સમીતીની રચના કરવામાં આવી હતી, બે દિવસમાં 70 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે અને હવે ખાસ અહેવાલ તૈયાર કરીને રાજયના આરોગ્ય વિભાગ અને પીએમસીસી સમક્ષ આ અહેવાલ રજૂ કરવામાં આવશે.
જી.જી.હોસ્પિટલમાં એનેથેસીયા વિભાગના એક તબીબ સામે કેટલાક ગંભીર આક્ષેપો થયા હતાં, જો કે આ અંગે મહીલા તબીબ દ્વારા ડીન કે અન્ય કોઇને લેખિત કે મૌખિક રજૂઆત કરવામાં આવી ન હતી અને આ ગંભીર આક્ષેપો અંગે સોશ્યલ મીડીયામાં આવેલા અહેવાલો બાદ બનાવની ગંભીરતા સમજીને તપાસ સમિતિ બનાવી હતી, જેમની સામે આક્ષેપો થયા છે તે તબીબે આ આક્ષેપોને નકારી કાઢયા છે, ત્યારે હવે જી.જી.હોસ્પિટલ અને મેડીકલ કોલેજમાં આ પ્રકરણે સારી એવી ચચર્િ જગાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech