જામનગરના એસ.પી. દ્વારા જિલ્લાના પોલીસ તંત્રમાં ફરીથી ગંજીપો ચીપવામાં આવ્યો છે, અને જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા ૭ પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક ફેરબદલીઓ કરી છે.
જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા ગઈકાલે એકી સાથે સાત પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીઓ ના ઓર્ડર કાઢ્યા હતા. જેમાં જામનગરના લિવ રિઝર્વમાં રહેલા પી.આઈ. વી.એસ. પટેલ ને શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે કાલાવડ ગ્રામ્યના પીઆઇ એન. બી. ડાભીની બદલી સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં કરવામાં આવી છે, આ ઉપરાંત સિટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. જે. જે. ચાવડાને સિક્કા પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા છે.
આ ઉપરાંત લિવ રિઝર્વ માં રહેલા પીઆઇ વી.બી. ચૌધરીની બેડી મરીન પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. ઉપરાંત એ એચ.ટી.યુ વિભાગના પી.આઇ. આય.જે વાઘેલા ની બદલી એલ.આઈ.બી. શાખામાં કરવામાં આવી છે. તેમના સ્થાને લીવ રિઝર્વમાં રહેલા એ. એ. ખોખરને એ.એચ.ટી.યૂ. માં મુકવામાં આવ્યા છે. ઉપરાંત શેઠ વડાળા પોલીસ સ્ટેશનના પી.આઇ. પી.જે. પનારાની બદલી કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech