બગસરા મામલદાર ઓફીસમાં બપોરના રિસેશ સમયમાં પણ લાઈટો પંખા અને એસી ચાલુ રાખવામાં આવે છે યારે આ ઓફિસના અધિકારીઓ પોતાના સતાના જોરે જાણે કોઈ તેમને પૂછવા વાળું જ ના હોય તેવી રીતે બપોરના બે વાગે રિસેશ પાડવામાં આવે છે. જે ફરી એક કલાક બાદ અધિકારીઓ ઓફિસે પરત ફરતા હોય છે તે દરમિયાન એક કલાક લાઈટો પંખા તેમજ એસી પણ ચાલુ રાખીને જ તમામ અધિકારીઓ બ્રેકમાં જતા રહે છે. ત્યારે એક તરફ સરકાર દ્રારા સોલાર પેનલો લગાવો અને વીજળી બચાવો અને લોકોને પ્રદૂષણ મુકત રાખવાની મસ મોટી વાતો કરે છે ત્યારે અહીંના અધિકારીઓ તો જાણે પોતાની મનમાની કરી સરકારના આવા વીજળી બચાવવાના હેતુનો ઉલાળીયો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. યારે આવી રીતે બેફામ વીજળીનો ઉપિયોગ કરવાથી પ્રજાના ટેકસના પિયાનું આંધણ કરી રહ્યા છે તો આવા અધિકારીઓને જાણે કોઇ કહેવા વાળું જ ના હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્રારા સરપ્રાઇઝ વિઝિટ લઇ જવાબદારો સામે કાર્યવાહી કરે તેવી આમ જનતામાં માગ ઉઠી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech