ફુગાવામાં નરમાઈને કારણે ભારતીયોની બચતમાં વધારોઃ આરબીઆઈનો રિપોર્ટ

  • May 31, 2025 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય ઘરગથ્થુ બચતોમાં વધારો થયો છે. કારણ કે લોકોને વધતી જતી ફુગાવાથી થોડી રાહત મળી છે, જે 2022-23માં ઘણા વર્ષના નીચલા સ્તરે આવી ગઈ હતી. આરબીઆઈના વાર્ષિક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2024માં, ઘરગથ્થુ નાણાકીય બચત કુલ ચોખ્ખી આવકના 5.1 ટકા હતી, જે પાછલા નાણાકીય વર્ષમાં ઘટીને 4.9 ટકા થઈ ગઈ હતી.

અહેવાલમાં જણાવાયું છે કે, કુલ ઘરગથ્થુ બચત કુલ રાષ્ટ્રીય નિકાલજોગ આવક (જીએનડીઆઈ) ના 30.3 ટકા પર સ્થિર રહી છે, જેનું મુખ્ય કારણ સરકારની સામાન્ય બચતમાં ઘટાડો છે. ઘરગથ્થુ જવાબદારીઓ જીએનડીઆઈના 6.1 ટકા સુધી વધી હોવા છતાં, ઘરગથ્થુ કુલ નાણાકીય બચત નાણાકીય વર્ષ 2024 માં વધીને 11.2 ટકા થઈ ગઈ જે પાછલા નાણાકીય વર્ષમાં 10.7 ટકા હતી. આના કારણે 2024માં ચોખ્ખી ધોરણે ઘરગથ્થુ બચત જીએનડીઆઈના 5.1 ટકા થઈ ગઈ.

અર્થશાસ્ત્રીઓ નાણાકીય વર્ષ 2025-26માં ચોખ્ખી નાણાકીય બચતમાં વધુ સુધારો થવાની અપેક્ષા રાખે છે. એસબીઆઈના સૌમ્ય કાંતિ ઘોષે જણાવ્યું હતું કે, હાલના વલણને જોતાં, અમારું અનુમાન છે કે ચોખ્ખી નાણાકીય બચત નાણાકીય વર્ષ 2024-25માં જીએનડીઆઈના 6.5 ટકા અને 2025-26માં 7 ટકાને વટાવી શકે છે, કારણ કે પુરવઠા શૃંખલા પર દબાણ ઓછું થવાથી, કોમોડિટીના ભાવમાં ઘટાડો થવાથી અને સામાન્ય કરતાં સારા ચોમાસાને કારણે ફુગાવામાં વધુ ઘટાડો થવાની અપેક્ષા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application