વાણિજ્ય સચિવ સુનીલ બર્થવાલે કહ્યું છે કે હાલમાં ઈઝરાયેલ-ઈરાન વિવાદથી ભારતની નિકાસ પર કોઈ અસર થવાની નથી. કારણ કે આ પ્રાદેશિક સ્તરનો વિવાદ છે. જો આ વિવાદ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો અમે ચોક્કસપણે નીતિગત પગલાં લઈશું જે તે સમયની પરિસ્થિતિ પર નિર્ભર રહેશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ઈઝરાયેલ-ઈરાન વિવાદ પર સતત નજર રાખી રહ્યું છે.
શિપિંગ મંત્રાલયની સાથે પેટ્રોલિયમ મંત્રાલય સાથે પણ સતત સંપર્ક જાળવવામાં આવી રહ્યો છે. વિવાદને કારણે લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારો થવાની સંભાવના છે જેના કારણે નિકાસ ખર્ચમાં વધારો થશે. ભારત પેટ્રોલિયમની આયાત પર નિર્ભર છે, તેથી તેની આયાતમાં આવતા દરેક અવરોધ પર નજર રાખવામાં આવી રહી છે.
ભારતીય નિકાસમાં ઘણી વિવિધતા આવી- બર્થવાલ
બર્થવાલે કહ્યું કે ભારતીય નિકાસમાં ઘણી વિવિધતા આવી છે. નવા બજારોની શોધ કરવામાં આવી છે અને નિકાસ બાસ્કેટમાં નવા ઉત્પાદનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી ભારતની નિકાસ પર કોઈ અસર થવાની નથી. ગયા વર્ષે પણ ભારતે આવા ઘણા સંઘર્ષો જોયા છે.
લાલ સમુદ્રમાં વિક્ષેપ વધુ વધશે - અશ્વિની કુમાર
બીજી તરફ ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO)ના પ્રમુખ અશ્વિની કુમારે જણાવ્યું હતું કે ઈઝરાયેલ-ઈરાન વિવાદ પહેલાથી જ ચાલી રહેલ લાલ સમુદ્રના વિક્ષેપને વધુ વધારશે જે ઇન્સ્યોરન્સની કિંમતમાં વધુ વધારો કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચાર મહિના પછી બિટકોઈને બનાવ્યો રેકોર્ડ, હવે આટલી થઈ ગઈ છે કિંમત
May 21, 2025 10:26 PMદ્વારકામાં શોકનો માહોલ, સ્નાન કરતી વખતે પાટણના મામા-ભાણેજ ગોમતી નદીમાં ગરકાવ, એકનો બચાવ
May 21, 2025 10:14 PMજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech