ભારતને યુદ્ધ માટે રોજ કેટલા રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડ્યો હોત, આંકડો જાણશો તો આંખો પહોળી થઈ જશે

  • May 12, 2025 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પહેલગામ આતંકવાદી હુમલા માટે ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. એ પછી પાકિસ્તાન ગભરાઈ ગયું અને યુદ્ધવિરામની ઓફર કરી પરંતુ થોડા કલાકોમાં જ ફરીથી ગોળીબાર શરૂ કરી દીધો, જેનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો. યુદ્ધ થયું હોત તો ભારતને લડાઈ માટે દરરોજ 5,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હોત.


યુદ્ધ ફક્ત સરહદો સુધી મર્યાદિત નથી

નિષ્ણાતો માને છે કે ભારત માટે પાકિસ્તાનની સતત ઉશ્કેરણીજનક કાર્યવાહીનો જવાબ આપવો જરૂરી છે. પરંતુ આ વ્યૂહાત્મક પ્રતિભાવની સાથે આર્થિક પાસાઓને પણ અવગણી શકાય નહીં. રશિયા-યુક્રેન યુદ્ધ, ગાઝા સંઘર્ષ અને અન્ય વૈશ્વિક લશ્કરી સંઘર્ષોએ સાબિત કર્યું છે કે યુદ્ધ ફક્ત સરહદો સુધી મર્યાદિત નથી, તે અર્થતંત્ર, બજારો અને સામાન્ય માણસના ખિસ્સાને અસર કરે છે.


ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં ચાર યુદ્ધો થયા

ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં ચાર યુદ્ધો થયા છે - 1947, 1965, 1971 અને 1999નું કારગિલ યુદ્ધ. કેટલાક અહેવાલો અનુસાર, કારગિલ યુદ્ધ દરમિયાન ભારતને દરરોજ લગભગ 1460 કરોડ રૂપિયા ખર્ચવા પડતા હતા, જ્યારે પાકિસ્તાને લગભગ 370 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.


નાણાકીય પરિસ્થિતિ પર ભારે દબાણ આવી શકે 

સંયુક્ત રાષ્ટ્રના વિદેશ બાબતોના મંચ અનુસાર, વર્તમાન પરિસ્થિતિઓમાં જો યુદ્ધ થાય છે તો ભારતનો દૈનિક ખર્ચ 1,460 રૂપિયાથી 5,000 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. એટલે કે, જો આ સંઘર્ષ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો નાણાકીય પરિસ્થિતિ પર ભારે દબાણ આવી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application