ઈજઈંછ ના નેજા હેઠળ કાર્યરત, પ્રતિષ્ઠિત સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટપુટ (ઈજખઈછઈં), ભાવનગર,, ઈજઈંછ ના ડાયરેક્ટર જનરલ (ઉૠ-ઈજઈંછ) અને રોક્રેટરી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (ઉજઈંછ), નવી દિલ્હી, ડો. શ્રીમતી એન ને કલેસેલ્વીની મુલાકાતે છે. આ મુલાકાત એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે કારણ કે ઉઘ-ઈજઈંછ ઈજખઈછઈં ખાતે નવા સ્થાપિત આધુનિક વિશ્વ કક્ષાના પ્રાયોગિક મીઠાના કાર્ય સ્થળનું ઉદ્ધાટન કરશે. પત્રકાર પરિષદ દરમિયાન, સંવાના પ્રધાન વૈજ્ઞાનિક અને પીઆરઓ. ડો. કાંતિ ભૂષણ પાંડેએ જણાવ્યું હતું કે ઉદ્ધાટન સમારોહ શહેરના કુંભારવાડા ખાતે મોજાશે. તેમણે માહિતી આપી કે પછી, ડીજીસીએસઆઈઆર સીએસએમસીઆરઆઈના ૭૨મા સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપશે.
તેમના સંયુક્ત નિવેદનમાં, મીઠું અને દરિયાઈ રસાયણશાસ્ત્ર વિભાગના હેડ ડી. અરવિંદ કુમાર અને પ્રધાન વૈજ્ઞાનિક અને પ્રોજેક્ટના પ્રિન્સિપાલ ઈન્વેસ્ટીગટેર ડો. ભૂમિ અંધારિયાએ જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં બીજા ક્રમની સૌથી મોટો મીઠુ ઉત્પાદક દેશ બનવાની ઇચ્છા રાખે છે. તેથી ડિઝાઇન કરાયેલ સોલ્ટ વર્કસ્પેસ સુવિધા સંશોધકો અને ઉદ્યોગ માટે પણ યોગ્ય પ્લેટફોર્મ તરીકે સેવા આપશે.
મીડિયા સાથે વાત કરતા, ઈજઈંછ-ઈજખઈછઈં ના ડિરેક્ટર ડો. કાન શ્રીનિવાસને પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. અને જણાવ્યું હતું કે "અમારી સંસ્થામાં ઉૠ-ઈજઈંછ નું સ્વાગત કરતાં અમને ગર્વ થાય છે. આધુનિક પ્રાયોગિક મીઠા કાર્યક્ષેત્રનું ઉદ્ઘાટન મીઠું અને દરિયાઈ રસાયણશાસ્ત્ર સંશોધનના ક્ષેત્રમાં અત્યાધુનિક સંશોધન અને ટકાઉ પ્રથાઓ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ સુવિધા આપણી ક્ષમતાઓમાં વધારો કરશે અને નવીનતાને પ્રોત્સાહન આપશે, જેનાથી વૈજ્ઞાનિક સમુદાય, ઉદ્યોગ અને સમગ્ર સમાજને ફાયદો થશે."
પત્રકાર પરિષદને સંબોધતા, ઈજઈંછના ડિરેક્ટર જનરલ અને ઉજઈંછના સચિવ ડો. શ્રીમતી એન. કલાઈસેલ્વીએ ઈજઈંછ-ઈજખઈછઈંના યોગદાનના મહત્વ પર ભાર મૂકતા કહ્યું હતું કે "ઈજખઈછઈં વૈજ્ઞાનિક પ્રગતિનું દીવાદાંડી થયું છે અને આ નવી મોર્ડન એક્સપેરિમેન્ટલ સોલ્ટ વર્ક્સ સુવિધા મીઠા અને દરિયાઈ રસામણશાસ્ત્રના ક્ષેત્રોમાં નવીનતા લાવવા અને નેતૃત્વ કરવાના તેના મિશનને વધુ મજબૂત બનાવશે.". તેમણે ભારતના મીઠા ઉદ્યોગ પર આ અગ્રણી સુવિધાના પરિવર્તનશીલ પ્રભાવ પર ભાર મુક્યો હતો. અને નવીન સંશોધન અને ટકાઉ મીઠા ઉત્પાદન તકનીકોને આગળ વધારવામાં તેની ભૂમિકા પર પ્રકાશ પાડયો હતો.
તેમણે વધુમાં કહ્યું હતું. કે ’સમગ્ર ઈજઈંછ માટે ગર્વની વાત છે કે આઝાદીના અમૃત કાળમાં ઈજખઈછઈં એ આ વિશ્વ કક્ષાની વૈજ્ઞાનિક સુવિધા સ્થાપિત કરી છે. પોતાની ખુશી વ્યક્ત કરતા ડો. કલાઈસેલ્વીએ જણાવ્યું હતું કે સીએસઆઈઆર સીએસએમસીઆરઆઈના ૭૨ મા સ્થાપના દિવસ સમારોહમાં ભાગ લેવાનો મને ખૂબ આનંદ છે, જે એક સંસ્થા છે જેણે દરિયાઈ સંસાધન સંશોધનમાં સતત વૈજ્ઞાનિક નવીનતા અને શ્રેષ્ઠતાનું નેતૃત્વ કર્યું છે."
ઈજઈંછ- ઈજખઈછઈં ની સ્થાપના દિવસ ઉજવણી સમિતિના સંયોજક ડો. વિભાજીત ગાંગુલીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં ખાસ મહેમાન પ્રો. એસ. શિવરામ- ઞજઊછ પુણેના પ્રોફેસર એમેરિટસ અને ઈંગજઅ એમેરિટસ વૈજ્ઞાનિક સહિતના પ્રખ્યાત વૈજ્ઞાનિકોના ભાષણો, અગ્રણી સંશોધન દર્શાવતા પ્રદર્શનો અને વૈજ્ઞાનિકો સાથે વિદ્યાર્થીઓની વાતચીતનો સમાવેશ થશે. ખાસ આમંત્રિત મહેમાન, ઈજઈંછ-ઈકછઈં ચેન્નાઈના ડિરેક્ટર ડો. કે.જે. શ્રીરામે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતું.અને કહ્યું હતું કે, "ઈજઈંછ-ઈજખઈછઈં ના સ્થાપના દિવસની ઉજવણીનો ભાગ બનવું ખરેખર સન્માનની વાત છે. હું અહીં થઈ રહેલા ગ્રાઉન્ડબ્રેકિંગ કાર્ય અને દાયકાઓની સિદ્ધિઓની ઉજવણી જોવા માટે આતુર છું."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMજામનગરમાં આજે વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી
April 18, 2025 06:12 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech