બેઠકમાં પ્રભારી સચિવએ જિલ્લામાં આરોગ્ય, પાણી પૂરવઠો, અનાજ પુરવઠો, સ્થળાંતર માટે વાહનો તેમજ વીજ પુરવઠો સહિત પૂરતી વ્યવસ્થા અંગેની માહિતી સબંધિત અધિકારીઓ પાસેથી મેળવી હતી. તેમજ છેવાડા નાગરિક સુધી વહીવટી તંત્ર દ્વારા મજબૂત સંપર્ક સ્થાપિત કરવા અને વિકટ પરિસ્થિતિમાં સચોટ માહિતી વહીવટી તંત્ર તથા સરકાર સુધી કેવી રીતે પહોંચશે તે અંગે પણ સમીક્ષા કરી હતી. તમામ જિલ્લા કક્ષાની અને અન્ય કચેરીઓના કર્મચારીઓને રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી ફાળવવા અને કોઈપણ સ્થિતિમાં માટે સુસજ્જ રહેવા જણાવ્યું હતું.
જિલ્લા પ્રભારી સચિવને જિલ્લા પુરવઠા અધિકારીએ જિલ્લામાં આવશ્યક ચીજ વસ્તુઓની માત્રા પૂરતા પ્રમાણમાં છે, તેવું જણાવી જિલ્લામાં આવશ્યક ચીજ વસ્તુઓ અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. જિલ્લા વહીવટી તંત્ર તરફથી જિલ્લા પ્રભારી સચિવએ જિલ્લાના નાગરિકોને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
ઉપરાંત નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા દ્વારા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ કામગીરીઓ અંગે પ્રભારી સચિવને માહિતગાર કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech