પંચાયતના કર્મચારીઓએ નિયત સમય ગાળામાં કોમ્પ્યુટર કૌશલ્ય તાલીમ (સીસીસી) પરીક્ષા પાસ કરવાનું ફરજિયાત છે. સરકારના આ નિયમ પછી પણ નિયત સમય મર્યાદામાં સીસીસીની પરીક્ષા પાસ નહીં કરનાર રાજકોટ જિલ્લાના પંચાયતના આઠ જેટલા તલાટી કમ મંત્રીઓને તાત્કાલિક અસરી છૂટા કરવાનો આદેશ નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેકમ) આઈ.જી.ગોહિલે કરતા ભારે ભડકો યો છે.
તલાટી કમ મંત્રીઓને તાત્કાલિક અસરી છૂટા કરવાના આદેશમાં એવું પણ જણાવાયું છે કે સીસીસી પરીક્ષા પાસ કરવા અંગેની મુદત બાદની બજાવેલ ફરજ દરમિયાનના પગાર ભાની વસૂલાત કરવામાં આવશે.જિલ્લા પંચાયતના અધિકારીઓ આ સંદર્ભે સરકારના જુદા જુદા સમયગાળા દરમિયાનના યેલા પરિપત્રોનો હવાલો આપી જણાવે છે કે દરેક કર્મચારીએ તેમના અજમાયશી સમયગાળા દરમિયાન આ પરીક્ષા પાસ કરવાની હોય છે. જો તેમ ન કરે તો અજમાયશ સમય ગાળો લંબાવી શકાય છે અને ત્યાર પછી પણ પરીક્ષા પાસ ન કરે તો તેમને નોકરીમાંી છૂટા કરવાના હોય છે. અને જ્યારે પરીક્ષા પાસ કરે ત્યારે પરત લઈ શકાય છે.ફિક્સ પગારી નિમણૂક પામેલ કરારના સમયગાળા દરમિયાન કર્મચારીએ આવી પરીક્ષા પાસ કરવાની હોય છે અને ન કરે તો છુટા કરવાની અને પરીક્ષા પાસ કરી આપે પછી પરત લેવાની પણ જોગવાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech