રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની કોઈપણ સીટી બસ શહેરના કે શહેરની ભાગોળે ના કોઈપણ વિસ્તારમાં ટૂંક સ્પીડથી દોડતી દેખાય કે સીટી બસના ડ્રાઇવર રો નિયમ વિરુદ્ધ ડ્રાઇવિંગ કરી રહ્યા હોવાનું જણાય તો તાત્કાલિક અસરથી મહાનગરપાલિકાના નંબર 155304 ઉપર ફરીયાદ કરવા માટે નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
વિશેષમાં રાજકોટ લિમિટેડના જનરલ મેનેજરએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના લોકોને શહેરી પરીવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી.(SPV) દ્વારા કરવામાં આવી રહેલ છે. આ હેઠળ કુલ ૮૦ રૂટ પર ૧૦૦ સીએનજી તથા ૧૨૪ ઇલેક્ટ્રિક એમ, કુલ-૨૨૪ બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવી રહેલ છે. આ બાબતે વધુમાં જણાવવાનું કે, નાગરિકોને સીટી બસ તેમજ બીઆરટીએસ બસ સેવા ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના કોઈ પણ વાહન જોખમકારક રીતે કે અકસ્માત સર્જે તે રીતે ચાલતું જણાય અથવા નિયમભંગ કરતું જણાય તો કોલ સેન્ટર નંબર ૧૫૫૩૦૪ ઉપર આ અંગેની ફરિયાદ નોંધાવી શકાશે. તેમજ આ બાબતે જાણકારી અંગેના સ્ટીકર તમામ બસમાં અંદર તેમજ બહારની તરફ લોકો વાંચી શકે તે રીતે લગાવવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech