જૈન ધર્મના મહાન પર્વ પર્યુષણની આજે પૂર્ણાહત્પતિ થશે. આજે દેરાવાસી સંપ્રદાય દ્રારા સવંતસરી પ્રતિકમણ કરી નાના મોટા સૌને મિચ્છામી દુક્કડમ કહી ક્ષમાપના સાથે ૮૪ લાખ જીવ યોનીને ખમાવી આત્મશુદ્ધિ કરશે, આઠ દિવસથી ચાલી રહેલા આ પર્વના મહાન દિવસો આજે પૂરા થશે.
જૈન સમાજ દ્રારા તપ, ત્યાગ ,આરાધના સાથે પર્યુષણની ઉજવણી કરવામાં આવી હતી આઠ દિવસથી જિનાલયો અને ઉપાશ્રયોમાં ધર્મ આરાધના સાથે શ્રાવકો અને શ્રાવિકાઓએ તપના તોરણો બાંધ્યા હતા. આજે ઉપાશ્રયોમાં આચાર્ય ભગવંતો બારસા સૂત્ર નું વાંચન કરશે. દેરાસરમાં તીથકરોની પૂજા, ચેત્યવંદન બાદ આજે બપોરે આખા વર્ષનું સૌથી મોટું પ્રતિક્રમણ એટલે કે સંવત્સરીનું પ્રતિકમણ કર્યા બાદ એક મેકને અને સર્વ જીવોને તસસ મિચ્છામી દુક્કડમ સાથે ક્ષમાપના પાઠવીને આત્મશુદ્ધિ કરશે.
આ પર્વ દરમિયાન જે તપસ્વી હોય નાની મોટી તપસ્યાઓ કરી હોય તેમના આવતીકાલે સવારે પારણા અને સાંજી ના કાર્યક્રમો યોજાશે, યારે સ્થાનકવાસી જૈન સમાજ આવતીકાલે આ પવિત્ર તહેવાર સવંતસરી મનાવસે. આગામી સાહમાં સ્થાનકવાસી જૈન સમાજના વિવિધ સઘં દ્રારા સઘં જમણ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલથી દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વ શ થશે.
પ્રતિક્રમણ એટલે પરિભ્રમણને પૂર્ણવિરામ.આથી જ આજે તમામ ભાવિકો સવંતસરી અને ક્ષમાપના કરશે. આ વિધિ દરમિયાન દરેક લોકો જગતના સર્વ જીવોને ખમાવી મને ક્ષમા આપજો, વિશ્વના દરેક જીવો સાથે મારે મિત્રતા છે કોઈની સાથે વેરભાવ નથી તેવી ભાવના સાથે પ્રતિકમણ કરી મિચ્છામી દુક્કડમ કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech