સિહોરના કનીવાવ ગામે ડબલ મર્ડરઃ પતિ-પત્નીના ઝઘડામાં વચ્ચે પડેલા પાડોશીએ ઉશ્કેરાઈ કુહાડીના ઘા ઝીંકી દંપતીને મોતને ઘાટ ઉતાર્યું

  • May 30, 2025 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિહોર તાલુકાના નેસડાથી કનીવાવ તરફના માર્ગે આવેલ ઈંટના ભઠ્ઠા પર કામ કરતા શ્રમિક અને તેની પત્ની વચ્ચે થયેલા ઝઘડા દરમ્યાન બાજુની ઓરડીમાં રહેતા અન્ય એક શ્રમિકે ઝઘડો નહીં કરવાનું કહ્યા બાદ થયેલી ઉગ્ર બોલાચાલી દરમ્યાન શ્રમિકે બાજુમાં પડેલી કુહાડી વડે પતિ-પત્ની પર આડેધડ ઘા ઝીંકી હત્યા નીપજાવી ભાગી છૂટ્યાની ઘટનાથી સિહોર પંથકમાં ભારે ચકચાર મચી હતી. 


બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો. અને મૃતદેહોનો કબ્જો લઈ તેને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હત્યારા શખ્સ સામે વાડી માલિકે નોંધાવેલી ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.


વાડીએ મજુરો ઝઘડો કરે છે

ચકચારી બેવડી હત્યા અંગે સિહોરના નેસડા ગામે ખોડિયાર નગરમાં રહેતા વાડી અને ભઠ્ઠાના માલિક વિજય ભાઈ ઉર્ફે લાલાભાઈ વાઘાભાઈ ખમળ(ઉ. વ. ૨૮)એ સિહોર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતાની ખીજડાવાળી તરીકે ઓળખાતી જગ્યા પરની  ઓરડીમાં છેલ્લા ૬ માસથી અમીતભાઈ નાયકા તેમનો ભત્રીજો ચેતન બંને રહેતા હતા. દરમ્યાન ગતરાત્રિના રાત્રિના વાળુ પાણીને હું મારા ઘરે હતો. આ દરમ્યાન મારા નાના ભાઈ હરેશભાઇનો ફોન આવેલ અને મને વાત કરેલ કે આપણી ખીજડાવાળી વાડીએ મજુરો ઝઘડો કરે છે. 


તપાસ કરી બન્નેના મોત થયાનું જણાવેલ હતું

તમો તાત્કાલીક વાડીએ આવો તેમ વાત કરતા હું થોડીવારમાં અ મારી ખીજડાવાળીએ આવેલો ત્યાં  મજુરોની ઓરડીની સામે રામુભાઇ નટુભાઇ હળપતી (રહે નવસારી) તેમજ રામુભાઇ તેની પત્ની તરીકે ઓળખ આપતો તે લક્ષ્મીબેન નીચે પડેલ હતા અને ગળાના ભાગેથી લોહી નીકળતું હતું. જેથી મેં ફોન ૧૦૮ એમ્બયુલન્સ ફોન કરેલો પોલીસ મથકમાં ફોન કરેલો થોડીવારમાં ૧૦૮ આવતા તેમને આ તપાસ કરી બન્નેના મોત થયાનું જણાવેલ હતું.


તારે અમારી પતિ-પત્નીના ઝઘડામાં વચ્ચે નહીં બોલવાનું

જે દરમ્યાન ઓરડીમાં રહેતો મૂળ નવસારીનો અમીત નાયકા જોવામાં  ન આવતા તેના વિશે  બીજા મજુરો દ્વારા મને જણાવેલ કે, રામુભાઇ જેને પત્ની તરીકે સાથે લાવેલ તે લક્ષ્મીબેન નાની નાની વાત પર ઝઘડો કરતા હતા. ત્યારે તેની બાજુની ઓરડીમાં રહેતો અમીત નાયકાએ ઝઘડો કરવાની ના પાડતા રામુભાઇએ અમો તને કહેલ કે તારે અમારી પતિ-પત્નીના ઝઘડામાં વચ્ચે નહીં બોલવાનું તું વચ્ચે આવીશ તો તને પણ મારીશ તેમ કહીને આ રામુભાઇ જોર જોરથી રાડો પાડી અમીત સાથે ઝઘડો કરવા લાગેલ.


બીજા ઘા ગળાની ભાગે મારવા લાગેલ 

જેથી અમિતે  ઉશ્કેરાઇ જઈ બાજુમાં પડેલ કુહાડી વડે રામુભાઈના ગળાના ભાગે એક ઘા મારતા તે નીચે પડી ગયેલ અને બીજા ઘા ગળાની ભાગે મારવા લાગેલ તે દરમ્યાન લક્ષ્મીબેન વચ્ચે પડતા અમીતે તેને પણ કુહાડીના ધા ગળાના ભાગે મારી ગંભીર ઇજા કરી નીચે પાડી અમીત ત્યાથી નાસી છૂટ્યો હતો. વિજયભાઈ ઉર્ફે લાલાભાઈ વાઘાભાઈ ખમળએ નોંધાવેલી ફરિયાદના પગલે સિહોર પોલીસ મથકના પીઆઈ ભરત સોંલકીએ બનાવની વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News