વસંત પંચમીના અવસરે મહાકુંભનું ત્રીજું અને અંતિમ અમૃતસ્નાન ચાલુ છે. હાથમાં તલવાર-ગદા, ઢોલ અને શંખ, શરીર પર ભસ્મ. આંખો પર કાળા ચશ્મા. ઘોડા અને રથની સવારી. ઋષિ-મુનિઓ 'હર હર મહાદેવ'ના નારા લગાવતા સ્નાન માટે સંગમ પહોંચી રહ્યા છે. સંગમ પર 10 કિમી સુધીની ભીડ જોવા મળી રહી છે. જેનો આકાશી નજારો હેલિકોપ્ટર અને ડ્રોન કેમેરામાં કેદ થયો છે.
લાખો ભક્તો સાધુઓના આશીર્વાદ લેવા સંગમ પર પહોંચ્યાં છે. ઘણા ભક્તો નાગા સાધુઓના પગની રજ કપાળ પર લગાવી રહ્યા છે. અમૃતસ્નાન જોવા માટે દરેક લોકો આતુર છે. 20 થી વધુ દેશોના લોકો પણ સંગમ પહોંચ્યા છે. સંગમ તરફ જતા તમામ માર્ગો પર 10 કિમી સુધી ભક્તોની શોભાયાત્રા છે. પ્રયાગરાજ જંક્શનથી લોકો પગપાળા સંગમ પહોંચી રહ્યા છે. લગભગ 8 થી 10 કિમી ચાલવું પડે છે. ભીડ જોઈને લેટે હનુમાન મંદિર બંધ થઈ ગયું. મેળા વિસ્તારના તમામ રસ્તાઓ વન-વે છે.
ભીડને નિયંત્રિત કરવા માટે 60 હજારથી વધુ સૈનિકો તહેનાત છે. મેળામાં 100 થી વધુ નવા IPS પણ તહેનાત કરવામાં આવ્યા હતા. હેલિકોપ્ટરથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. 2750 સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે.
વિવિધ અખાડાના સાધુ-સંતોએ આજે વહેલી સવારે શાહી સ્નાન કર્યું હતું. તેઓ રથ, હાથી-ઊંટ અને ઘોડા ગાડીમાં સવાર થઈ સંગમ તટ પહોંચ્યા હતા. સ્નાન બાદ સાધુ-સંતોએ પોતાની શિબિરોમાં પૂજા-અર્ચના કરી પ્રયાગરાજ મહાકુંભમાંથી પ્રસ્થાન કરવાની તૈયારીઓ શરૂ કરી હતી.
35 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું
મહાકુંભમાં વસંત પંચમીના પર્વે લાખો લોકો અમૃત સ્નાન કરી રહ્યા છે. અત્યારસુધી મહાકુંભમાં 35 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સ્નાન કરી ચૂક્યા છે. જેમાં આઠ કરોડ શ્રદ્ધાળુઓએ મૌની અમાસના દિવસે સ્નાન કર્યું હતું. જ્યારે 3.5 કરોડ શ્રદ્ધાળુઓએ મકર સંક્રાતિના પર્વ પર અમૃત સ્નાન કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech