તા.15 બાદ ઠંડીનો ચમકારો શરૂ થશે: મોડી ઠંડીથી શિયાળુ પાકને અસર: રોગચાળો વઘ્યો
દિવાળી બાદ લાભપાંચમ પુરી થઇ ગઇ છતાં પણ હજુ ઠંડી શરૂ થઇ નથી, આ વખતે એક મહીનો શિયાળો મોડો થવાની ધારણા છે ત્યારે જામનગરનું તાપમાન હજુ પણ 35 ડીગ્રી આસપાસ રહ્યા કરે છે, બપોરના ભાગમાં ગરમી અને સવાર-સાંજ આછેરી ઠંડી અને પવન જોવા મળે છે ત્યારે આ વખતે શિયાળુ પાકને પણ થોડી અસર થાય તેવું ખેતીવાડી નિષ્ણાંતોનું કહેવું છે ત્યારે જામનગરનું તાપમાન હજુ પણ 35 ડીગ્રીએ પહોંચ્યું છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 35 ડીગ્રી, લઘુતમ તાપમાન 22 ડીગ્રી, હવામાં ભેજ 76 ટકા અને પવનની ગતિ 10 થી 15 કિ.મી. પ્રતિકલાક રહી હતી.
જામનગર ઉપરાંત કાલાવડ, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ, ફલ્લા, કલ્યાણપુર, સલાયા, ખંભાળીયા, ભાટીયા, રાવલ, દ્વારકા, જામજોધપુર સહિતના ગામોમાં પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી અસહ્ય ગરમીએ કાળો કેર વતર્વ્યિો છે, એક તરફ કમોસમી માવઠાથી ખેડુતોને ભારે આર્થિક નુકશાન થયું છે, બીજી તરફ અસહ્ય ગરમીને કારણે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.
આજે ઠંડીના માહોલ વચ્ચે વોકીંગ કરનારાઓએ પણ ઠંડીની મોજ માણી હતી, ગામડાઓમાં પણ વાતાવરણમાં ભારે ઠંડક જોવા મળી હતી, જો કે હવામાન ખાતુ કહે છે કે, બે-ત્રણ દિવસમાં જ ગરમી ઘટતી જશે અને ઠંડી શરૂ થશે. રાજયના હવામાન ખાતાએ જણાવ્યું હતું કે, આ વખતે લગભગ વીસેક દિવસ ઠંડી મોડી શરૂ થઇ છે, હજુ તો શરૂઆત છે પરંતુ આવતા અઠવાડીયે ઠંડી વધશે.
એક તરફ ખેડુતોને ત્રણ-ત્રણ માવઠા અસર કરી ગયા, મગફળીના પાથરા તૈયાર હતાં ત્યાં જ માવઠુ ત્રાટકયું, એકની સહાય મળે તે પહેલા જ બીજુ માવઠુ થયું, આમ ખેડુતો ઉપર તો પડયા પર પાટા જેવો ડામ લાગ્યો છે. જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં 150 ટકા વરસાદ થઇ ગયો છે, તેની સામે માવઠા થવાને કારણે મગફળી અને કપાસના પાકને સા એવું નુકશાન થયું છે, જે નુકશાન થયું છે તેના 10 થી 13 ટકા જ સહાય ખેડુતોને મળી છે અને હજુ કેટલાક ખેડુતો સહાયથી વંચીત છે ત્યારે એક મહીનો શિયાળો મોડો શરૂ થશે તેની અસર પણ શિયાળુ પાકને થશે તેવું ખેતીવાડી તજજ્ઞોનું કહેવું છે. બે દિવસથી વાતાવરણમાં થોડો પલ્ટો આવ્યો છે અને ઠંડીની અસર શરૂ થઇ છે, ત્યારે હવે ઝડપથી સતાવાર રીતે શિયાળો શરૂ થાય તેવું ખેડુતો પણ ઇચ્છી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMપોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટમાં વિનામૂલ્યે મળશે પ્રવેશ
May 19, 2025 05:05 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech