ખેડૂતો-વેપારીઓ ધ્યાન આપે...રાજકોટ માર્કેટ યાર્ડમાં શુક્રવારે ભીમ અગિયારસની રજા જાહેર, હરાજી અને કચેરીનું કામકાજ બંધ રહેશે

  • June 04, 2025 02:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં વિવિધ જ્યંતિઓની તેમજ અમુક ધાર્મિક રજા સહિતની અનેક જાહેર રજાઓ રદ કરી મહત્તમ દિવસો યાર્ડ ચાલુ રહે તેવી વ્યવસ્થા નિર્માણ કરાઇ છે, આમ છતાં ખેડૂતોને લાગુ પડતી હોય તેવી અનેક દેશી પરંપરાગત રજાઓ યથાવત રીતે પાળવામાં આવી રહી છે, જે અંતર્ગત પરિપત્ર પ્રસિધ્ધ કરીને આગામી તા.૬ જુનને શુક્રવારે ભીમ અગિયારસની રજા જાહેર કરવામાં આવી છે. સરકારી વિભાગોમાં આ દિવસે રજા હોતી નથી પરંતુ ભીમ અગિયારસના શુકનવંતા દિવસથી ખેડૂતો વાવણીનું મુહૂર્ત કરતા હોય આ દિવસે ફક્ત રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના તમામ યાર્ડ રજા પાળે છે.


મેથી, મગ, કાળા તલ, શીંગફાડા તથા ચોળીની આવક સંપૂર્ણપણે બંધ છે

રાજકોટ માર્કેટ યાર્ડના વર્તુળોએ જણાવ્યું હતું કે હવે બીજી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી મેથી, મગ, કાળા તલ, શીંગફાડા તથા ચોળીની આવક સંપૂર્ણપણે બંધ છે. જ્યારે લસણ, તુવેર, જીરૂ, એરંડા, કલોંજી, જુવાર તથા વરીયાળી તેમજ ઉપરોક્ત સિવાયની અન્ય જણસીની આવક ૨૪ કલાક રાબેતા મુજબ આવવા દેવામાં આવશે. વાતાવરણની આગાહીને ધ્યાને લઇ માલ સલામત રીતે ઢાંકીને લાવવાનો રહેશે તેમજ તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડ ની વ્યવસ્થાને ધ્યાને લઇ શરૂ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News