પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થાન કીર્તિમંદિર નજીક જ ગાંધીજીની પ્રતિમા છેલ્લા વીસ દિવસથી અંધારામાં છે. સ્ટ્રીટલાઇટો બંધ છે તે અંગે અનેક ફરિયાદ કરવા છતાં પાલિકાનું ઇલેકટ્રીક વિભાગ જાગતુ નહી હોવાથી ભાજપના પૂર્વ સુધરાઇસભ્ય એવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા આક્રોશપૂર્ણ રજુઆત થઇ છે.
પોરબંદર છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અશોકભાઇ ભાદ્રેચાએ જણાવ્યુ છે કે પોરબંદર આ શહેરમાં ૪૦ ટકા લાઇટો બંધ છે. પરંતુ જે મહાત્મા ગાંધીએ હિન્દુસ્તાનને આઝાદી અપાવી તેનું સ્ટેચ્યુ માણેકચોકમાં આવેલ તેની બાજુમાં આવેલ તાંકની ચારેબાજુ અને રેકોર્ડ ઓફીસ ઉપર રવેશમાં હેલોઝન લાઇટ નાખેલ છે તે છેલ્લા ૨૦ દિવસથી બંધ છે. તેની અનેક ફરીયાદ કરેલ છે. પરંતુ કોઇ કામ થતું નથી. આ ચોકમાં રાત્રીના સમયે આજુબાજુના સ્થાનિકો બેસતા હોય તેમણે રજૂઆત કરી હોવા છતા તંત્રએ કાર્યવાહી કરી નથી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું માણેકચોકમાં સ્ટેચ્યુ આવેલ છે ત્યાં છેલ્લા ૨૦ દિવસથી સ્ટ્રીટલાઇટો બંધ છે. કોઇ પૂછવાવાળુ નથી કે નગરપાલિકામાંથી કોઇ જોવાવાળુ નથી. ચીફ ઓફિસરને ઇલેકટ્રીક સ્ટાફના માણસો જવાબ આપતા નથી. આ બાબતની છેલ્લા ૨૦ દિવસથી ફરિયાદ કરેલ છે પરંતુ કોઇ કામ થતુ નથી.તેમ જણાવીને અશોકભાઇ ભાદ્રેચાએ ભાજપ શાસિત નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આક્રોશ વ્યકત કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યાય પ્રક્રિયાને સુલભ અને કાર્યક્ષમ બનાવવા નવતર પહેલ
June 03, 2025 10:30 AMસંસદના વિશેષ સત્રની માગણી સાથે ૨૦૦ સાંસદો લખશે પત્ર
June 03, 2025 10:27 AMગુજરાત સરકાર શહેરી હરિયાળી જગ્યાઓ, જળાશયોના સંરક્ષણ માટે કાયદો બનાવશે
June 03, 2025 10:26 AMઈલોન મસ્કનો નવો દાવ: શક્તિશાળી ફીચર એક્સચેટ લોન્ચ
June 03, 2025 10:22 AMવર્ષ 2300માં વિશ્વમાં 10 કરોડની વસ્તી જ હશે
June 03, 2025 10:21 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech