મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે તમામ કલેકટરને કોન્ફરન્સમાં સૂચના આપી કે હીટવેવ અંગે તૈયારી કરો: લોકોને કોઇપણ જાતની તકલીફ ન પડે તે માટે એકશન પ્લાન બનાવો: તાપમાન 36 ડીગ્રી
જામનગર શહેર સહિત સમગ્ર હાલારમાં હવામાન ખાતાની આગાહી મુજબ આજથી ત્રણ દિવસ સુધી હીટવેવ રહેશે, ગઇકાલે સાંજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે તમામ જિલ્લા કલેકટરોને સૂચના આપીને હીટવેવ અંગે તૈ્યાર રહેવા જણાવ્યું હતું, એટલું જ નહીં કોઇપણ જાતની તકલીફ ન પડે તે માટે વ્યવસ્થા ગોઠવવા પણ જણાવાયું છે, ત્યારે જામનગરનું તાપમાન વાદળીયા વાતાવરણ વચ્ચે 36 ડીગ્રી રહ્યું હતું.
તંત્રના જણાવ્યા મુજબ હીટવેવ દરમ્યાન બપોરના 1ર થી પ દરમ્યાન કામ સિવાય બહાર ન નીકળવું, અવારનવાર પાણીથી મોં સાફ કરવું અને માથા પર ભીનું કપડું રાખવું, વાહનચાલકોએ ટોપી પહેરીને વાહન ચલાવવા, સતત પાણી પીતા રહેવું, ચક્કર કે લૂ લાગે તો તાત્કાલિક નજીકના દવાખાનામાં દર્દીને લઇ જવા, આમ સરકારની ગાઇડલાઇન છે ત્યારે જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાના નેજા હેઠળ તંત્ર એલર્ટ થઇ ગયું છે અને તા. 18 સુધી આ હીટવેવની આગાહી છે ત્યારે તંત્ર કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળશે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 36 ડીગ્રી, લઘુતમ તાપમાન 26.5 ડીગ્રી, રહ્યું હતું, હવામાં ભેજ 67 ટકા અને પવનની ગતિ 35 થી 40 કિ.મી. પ્રતિકલાક રહી હતી. હવામાન ખાતાના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના કેટલાક ગામડાઓમાં હળવા ઝાપટા પડશે, એટલું જ નહીં વાદળછાયું વાતાવરણ રહેશે. ગઇકાલે સાંજે 40 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાતા હાલારવાસીઓને રાહત થઇ હતી,
સૌરાષ્ટ્રના કેટલાક શહેરોનું તાપમાન પણ 41 ડીગ્રીને પાર થઇ ગયું હતું જયારે અમરેલી, જુનાગઢ, ગીર, સોમનાથ સહિતના શહેરોમાં પણ આકરો તાપ જોવા મળ્યો હતો, બપોરે 11 થી 5 દરમ્યાન ઉનાળામાં આકરો તાપ પડે તેવો તાપ પડી રહ્યો છે, સૂર્યદેવતા કોપાયમાન થઇ ગયા છે અને હજુ ચાર દિવસ સુધી ગરમીમાં રાહત મળવાની કોઇ શકયતા નથી તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.
આજ સવારથી જ રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી સહિતના શહેરોમાં તાપમાન 40 ડીગ્રીને પાર કરી ગયું છે, લોકોમાં લૂમાં સેકાયા છે, ખેડૂતોને ખેતરમાં અસહ્ય તાપનો સામનો કરવો પડે છે, હજુ સતત 3 દિવસ સુધી હીટવેવની આગાહી હોય આ ચારેય જિલ્લાનું તંત્ર પણ એલર્ટ બની ગયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech