દ્વારકા જિલ્લામાં કોરોના સામે બાથ ભીડવા આરોગ્ય તંત્ર સક્ષમ

  • May 29, 2025 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રોજના 2000 ટેસ્ટ કરી શકાશેઃ જિલ્લામાં 74 આઈસીયુ બેડ ઉપલબ્ધ

દેશ સાથે રાજ્યમાં કોરોનાના નવા કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કોરોના સામે લડત આપવા સરકારી તેમજ આરોગ્ય તંત્ર સક્ષમ છે. જે અંગે જિલ્લા આરોગ્ય અધિકારીએ વિવિધ બાબતો પણ પ્રકાશ પાડ્યો છે. 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરોગ્ય અધિકારી સી.બી. ચોબીસાએ આ અંગે જણાવ્યું હતું કે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કોરોનાના કેસો હાલ નોંધાઈ રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. અગાઉના વર્ષોમાં કોરોનાની સેકન્ડ વેવ સમયે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દરરોજ સરેરાશ 2256 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે મુજબ હાલ પણ ખંભાળિયા તેમજ દ્વારકાની સરકારી હોસ્પિટલમાં રોજ 2000 ટેસ્ટ કરી શકાય તે માટેની તૈયારીઓ કરવામાં આવી છે.

જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પણ પૂરતા પ્રમાણમાં બેડ તેમજ કીટની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જિલ્લાની જુદી જુદી ખાનગી તેમજ સરકારી હોસ્પિટલ મળી કુલ 74 આઈસીયુ બેડ હાલ પ્રાપ્ય છે. જેમાં વેન્ટિલેટર તેમજ ઓક્સિજન સિલિન્ડરની પણ પૂરતી સગવડ છે. 

હાલમાં જોવા મળતો કોરોનાનો વેરિયન્ટ ખુબજ જોખમી જણાતો નથી અને તેની ગતિ પણ ખૂબ જ ધીમી જોવા મળી રહી છે. ત્યારે જિલ્લાની જનતાને કોરોના અંગે ગભરાવાની જરૂર નથી, પરંતુ કોરોના સામે સાવચેતી અવશ્ય રાખવા પણ વધુમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application