શહેરમાં ટ્રાફિક બ્રાંચમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ પરમારનું આજરોજ હાર્ટ એટેકથી મૃત્યુ થતાં પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, શહેરના રામાનાથપરા પોલીસ લાઈન ત્રણ માળીયા કવાર્ટર બી- 6 માં રહેતા અને ટ્રાફિક બ્રાન્ચમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ડાયાભાઈ પરમાર(ઉ.વ 46) ને ગઈકાલ છાતીમાં દુ:ખાવો ઉપડતા તેમને સારવાર માટે પ્રથમ સિવિલ હોસ્પિટલમાં બાદમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ગઈકાલે બાયપાસ કરવામાં આવ્યું હતું.
આજે સવારે તેમણે દીકરાને હોસ્પિટલના રૂમમાંથી નીચે ચા લેવા માટે મોકલ્યો હતો એ પછી એકાએક બીજો હાર્ટ એટેકનો હુમલો આવી જતા આ હુમલો મહેન્દ્રભાઇ માટે જીવલેણ સાબિત થયો હતો. બનાવની જાણ થતા હોસ્પિટલ મારફત એ ડિવિઝનને જાણ કરવામાં આવી હતી. જેથી એ ડિવિઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
મૂળ વઢવાણના વતની મહેન્દ્રભાઈ બે ભાઈ એક બહેનના પરિવારમાં મોટા હતા. તેમને સંતાનમાં બે પુત્રો છે. એક પુત્ર સરકારી નોકરીની તૈયારી કરે છે. મહેન્દ્રભાઈ 1998 માં પોલીસમાં ભરતી થયા હતા. તેમણે પોતાની 25 વર્ષની આ સર્વિસમાં પ્ર.નગર, માલવીયાનગર, એ.ડિવિઝન, આજીડેમ સહિતના પોલીસ સ્ટેશનમાં પ્રશંસનીય કામગીરી કરી હતી. હાલમાં તેઓ ટ્રાફિક બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા.મળતાવળા અને હસમુખા સ્વભાવના મહેન્દ્રભાઈના મૃત્યુથી પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાય જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech