આજે હનુમાન જયંતિ છે ત્યારે ગુજરાતભરમાં હનુમાનજીના મંદિરે ધામધૂમથી દાદાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત જ નહીં પણ દેશ-વિદેશના લોકોમાં આસ્થાનું કેન્દ્ર એવા સાળંગપુરમાં આજે કષ્ટભંજન દેવના જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. સાળંગપુરમાં બે દિવસ હનુમાન જયંતિના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે વહેલી સવારે દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો અને બાદમાં મગંળાઆરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.
ભવ્ય કળશયાત્રાનું આયોજન
સાળંગપુરમાં આવેલા કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના પ્રાંગણમાં શુક્રવારે ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હનુમાનજીને શ્રીલંકાથી મગાવેલા 700 પીસના ફૂલો, સેવંતીના મિક્સ ફૂલ અને થાઈલેન્ડથી મગાવેલા હારનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
શુક્રવારે અંદાજે ત્રણ લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યાં
સાંજે 4.30 વાગ્યે નારાયણ કુંડથી નીકળી મંદિરના પ્રાંગણ સુધી કળશ યાત્રા કાઢવામાં આવી હતી. શુક્રવારે અંદાજે ત્રણ લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યાં હતાં. કળશ યાત્રામાં ગજરાજ, ઘોડા અને બળદ ગાડા જોડાયા હતા. યાત્રા દરમિયાન સીદી નૃત્યુ પણ રજૂ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech