પોરબંદર શહેરમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે તેના નિરાકરણ માટે અમુક નવા રસ્તાઓ બનાવવામાં આવે છે તો અમુક જગ્યાએ રસ્તા પહોળા કરવામાં આવે છે. ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજયના માર્ગ અને મકાન વિભાગને એવી ભલામણ કરી હતી કે,પોરબંદર શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે,ત્યારે છાંયાની હદમાં આવતો એચ.એમ.પી કોલોનીના ગેટથી છાંયા-નવાપરા થઈને રઘુવંશી સોસાયટી તરફ જતો રસ્તો અંદાજે સવા ત્રણ કિલોમીટરનો છે.આ રસ્તા ઉપર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હલ થઈ શકશે અને તેના માટે આ રસ્તાને પહોળો કરવો જરૂરી છે તેથી પોરબંદરમાં નગરપાલિકાની જનરલ બોર્ડની સ્પેશિયલ સભામાં તે અંગેનો ઠરાવ પસાર કરીને આ રસ્તો પહોળો કરવા માટે અને માર્ગ મકાન વિભાગને સોંપવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. (તસ્વીર: જીજ્ઞેશ પોપટ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં શોકનો માહોલ, સ્નાન કરતી વખતે પાટણના મામા-ભાણેજ ગોમતી નદીમાં ગરકાવ, એકનો બચાવ
May 21, 2025 10:14 PMજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech