ગુણોત્સવ -2 નું પરિણામ જાહેર થયું રાજ્યની 524 શાળા એ પ્લસ ગ્રેડમાં

  • May 23, 2025 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજ્યની સરકારી શાળાની ગુણવત્તા ચકાસવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી ગુણોત્સવનું આયોજન કરવામાં આવે છે ગુણોત્સવ બે લાગુ કર્યા બાદ પ્રથમ વખત એ પ્લસ ગ્રેડ ધરાવતી શાળાની સંખ્યા 14 હતી આ સ્થિતિ સુધારવા વિદ્યા સમીક્ષા કેન્દ્રના સતત મોનિટરિંગ અને નવી પદ્ધતિઓ અને મૂલ્યાંકનના કારણે ગુણવત્તા સુધરી છે પરિણામે ગુણોત્સવ -2 માં આ વર્ષે 524 શાળાઓ એ પ્લસ ગ્રેડમાં આવી છે જે સતત મોનિટરિંગનું પરિણામ છે.

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એટલે જીસીઈઆરટી દ્વારા ગુણોત્સવ -2 (સ્કૂલએક્રેડિટેશન) 2024-25નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુણોત્સવ 2 માં ગુજરાતની પ્રાથમિક અને હાઈસ્કૂલ મળી કુલ 40289 સરકારી સ્કૂલોમાંથી માત્ર 524 સ્કૂલોને જ પ્લસ ગ્રેડ પ્રાપ્ત થયો છે. પરંતુ સતત મોનિટરિંગના લીધે માત્ર એક જ સંખ્યા 2971 થી વધી 9388 એ પહોંચતા ગુણવત્તા વધી - હોવાનો શિક્ષણ વિભાગે દાવો કર્યો છે. પ્રાથમિક અને આશ્રમ શાળાઓની સંખ્યામાં ગત વર્ષની સરખામણીએ એ ગ્રેડમાં 94ટકાનો વધારો થયો છે. ગત વર્ષે એ ગ્રેડમાં માત્ર 1919 શાળાઓ હતી જે આ વર્ષે વધીને4,442 થઈ છે.

અહીં નોંધવું જરૂરી છે કે રાજ્યકક્ષાએ ઉપલબ્ધ ડેટા આધારિત મૂલ્યાંકન અને ક્રોસ વેરિફિકેશન એમ જુદા જુદા ચાર તબક્કામાં મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું હતું મૂલ્યાંકનમાં 20 વર્ગખંડ અવલોકનમાં અને 20 ડેટા આધારિત મૂલ્યાંકનમાં 60% પ્રમાણે ગુણભાર નક્કી કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application