ગુજરાત સરકાર જંત્રીના મામલે ખૂબ જ દ્રઢતાપૂર્વક આગળ વધી રહી છે. હાલના સૂચિત જંત્રીના દરોમાં ૭૦ થી ૭૫%નો ઘટાડો થાય તેવા સંકેત મળી રહ્યા છે અને આગામી દિવસોમાં મહારાષ્ટ્ર્ર પેટર્નથી વાર્ષિક ૫ થી ૧૦% સુધી લેટ રેટ જંત્રીના દરમાં વધારો થાય તેવા સંકેત મળી રહ્યા છે આ સુધારો એટલે કે ગુજરાત સ્થાપના દિવસથી કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે.
તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ૧૮–૪–૨૦૧૧માં નવી જંત્રીનો અમલ શરૂ કર્યો હતો. ત્યારબાદ ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્રારા જંત્રીને લઈને મહત્વના ફેરફારો શરૂ કરવામાં આવ્યા છે, ગુજરાત રાજ્યના મહેસુલ મંત્રી તરીકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખૂબ જ મહત્વના નિર્ણયો લઈ રહ્યા છે.
નવી જંત્રીને લઈને મહેસુલ વિભાગ ઝડપભેર આગળ વધી રહ્યો છે
નવી જંત્રીના દરો ૨૦૨૩માં નક્કી કરાયા તે બમણાદરો કરતા વધુ હોવાથી શહેરી વિસ્તારમાં પાંચથી દસ ગણા દર વધ્યા હતા તેના બદલે હવે માત્ર ૨૫%નો વધારો કરાશે. ટૂંક સમયમાં રાજ્ય સરકાર આ અંગેની સત્તાવાર જાહેરાત કરી શકે છે. મહારાષ્ટ્ર્ર પેટર્નથી લાગુ પડનાર નવી જંત્રીને લઈને મહેસુલ વિભાગ ઝડપભેર આગળ વધી રહ્યો છે.
જંત્રીના મોડલને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા
સરકારના સૂત્રો જણાવે છે કે જ્યારે સૂચિત જંત્રીના દર ઘણી જગ્યાએ ૫થી ૧૦ ગણા કરાયા તેથી તેને લઇને સરકારની અપેક્ષાથી વિપરીત પ્રતિક્રિયા આવી હતી કારણ કે આટલો વધારો લોકોને અસહ્ય લાગ્યો હતો. જો કે હાલ સરકારે આ પ્રસ્તાવિત વધારામાં ફેરફાર કરવાનું નક્કી કયુ છે. ૨૦૨૩માં કરાયેલા વધારાની સાપેક્ષે હવે માત્ર ૨૫ ટકા વધારો જ અમલી કરાશે. પરંતુ સૂચિત વધારાને બેઝ રેટ તરીકે ગણીને તેટલો દર હાંસલ કરવા માટે દર વર્ષે માત્ર નિયમિત રીતે વાર્ષિક જંત્રી દરમાં ૫થી ૧૦ ટકાનો વધારો કરવામાં આવશે. અહીં નોંધવું જરી છે કે રાય સરકાર દ્રારા જંત્રીના અમલ પૂર્વે અન્ય રાયોની જંત્રી નો અભ્યાસ કરવામાં આવે છે જેમાં મહારાષ્ટ્ર્ર, પંજાબ, રાજસ્થાન અને કર્ણાટક રાજ્યમાં વસુલાતી જંત્રીના મોડલને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech