વાલીઓની ચિંતા હળવી થશે... શાળા પ્રવાસને લઈને સરકારે બહાર પાડી નવી ગાઈડલાઈન, વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને કર્યો મોટો નિર્ણય, જાણો સમગ્ર વિગત

  • May 30, 2025 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડોદરામાં હરણી બોટકાંડમાં 12 બાળકો અને બે શિક્ષિકાના મોત થયા હતા. આ તમામના સ્કૂલ દ્વારા આયોજિત પ્રવાસમાં મોત થયા હતા. આ ઘટનાના રાજ્યભરમાં પડઘા પડ્યા હતા. જોકે આ ઘટનાને હવે રાજ્ય સરકારે તમામ શાળાઓને બાળકોને પ્રવાસ લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે.


શાળાએ લોકલ પોલીસ સ્ટેશનને પ્રવાસ અંગે જાણ કરવી પડશે

નવી ગાઈડલાઈન મુજબ હવેથી શાળા પ્રવાસ દરમિયાન બે પોલીસકર્મી સાથે રહેશે. જો આ પ્રવાસમાં વિદ્યાર્થિનીઓ હોય તો મહિલા પોલીસકર્મી સાથે રહેશે. આ ઉપરાંત શાળાએ લોકલ પોલીસ સ્ટેશનને પ્રવાસ અંગે જાણ કરવી પડશે. 


શાળાના આચાર્યોને સૂચના આપવામાં આવી

પીએમ મોદીએ ડીજીપી અને આઈજીપી કોન્ફરન્સમાં કરેલા સૂચન પર અમલીકરણ કરવામાં આવશે. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના અગ્ર સચિવને એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્ર અન્વયે રાજ્યની તમામ (સરકારી/અર્ધસરકારી/પ્રાઈવેટ) શાળાના આચાર્યોને સૂચના આપવામાં આવી છે. 


ગણવેશધારી 02 પોલીસ કર્મચારીને સાથે હાજર રાખવા

નવી ગાઈડલાઈનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, હવે વિદ્યાર્થીઓ માટે આયોજિત થતી પ્રવાસ, ટુર, પિકનિક, મુલાકાત દરમિયાન ગણવેશધારી 02 પોલીસ કર્મચારીને સાથે હાજર રાખવા, શાળાના આચાર્યોએ ઉપરોક્ત કામગીરી માટે લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને જો પ્રવાસ, ટુર, પિકનિક, મુલાકાત મહિલા વિદ્યાર્થિનીઓની હોય તો, મહિલા પોલીસકર્મીઓને સાથે રાખવા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News