વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયા પેટા ચૂંટણી લડશે, આમ આદમી પાર્ટીએ કરી જાહેરાત

  • March 23, 2025 01:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જૂનાગઢની વિસાવદર બેઠક પરથી ભૂપત ભાયાણીના રાજીનામાં બાદ ત્યાં પેટાચૂંટણીનું આયોજન થવાનું છે. જેમાં હવે AAP (આમ આદમી પાર્ટી) ના નેતા ગોપાલ ઈટાલિયાએ આ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. નોંધનીય છે કે, પેટા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી કોઈ તારીખ જાહેર કરવામાં નથી આવી પરંતુ આપ આ વખતે અગાઉથી જ તૈયારી કરી રહ્યું છે. 


આમ આદમી પાર્ટીએ આ વિશેની માહિતી ગુજરાતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આપી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, 'વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલિયાની જાહેરાત થવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.'


ઉલ્છેલેખનીય કે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષ રિબડિયા અને આપના ભૂપત ભાયાણી વચ્ચે થયેલી ચૂંટણી જંગમાં ભૂપત ભાયાણી વિજેતા બન્યા હતા. જોકે, એક જ વર્ષમાં તેમણે રાજીનામું આપી દેતાં બેઠક ખાલી પડી હતી. હવે ગમે ત્યારે આ બેઠક પર પેટા ચૂંટણીનું આયોજન થઈ શકે છે. જે માટે AAP એ કમર કસવાનું શરૂ કરી દીધું છે


.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application