આ વર્ષે સાતમ આઠમમાં સૌરાષ્ટ્રવાસીઓ હરવા ફરવા જવા માટે બુકિંગ કરાવી ટ્રાવેલ પેકેજ ગોઠવી રહ્યા છે જોકે દર વર્ષ કરતાં આ વખતે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ 40 ટકા બ્રેકડાઉન પર ચાલી રહી છે. સમર વેકેશનમાં ઇલેક્શન અને સાતમ આઠમ પર લોકોનો ફરવા જવા માટેના ઉત્સાહમાં ઓટ આવી છે તેમ છતાં સૌરાષ્ટ્રવાસીઓમાં ડોમેસ્ટિકમાં ગોવા અને ઇન્ટરનેશનલમાં બાલી હોટ ફેવરિટ છે.
આ વખતે ટ્રાવેલ પેકેજના બુકિંગ કરાવવા માટે લોકોની પડાપડી ન હોવાના લીધે પેકેજમાં પણ ઘટાડો આવ્યો છે. સામાન્ય રીતે સાતમ આઠમ ના તહેવારો શરૂ થતા ને પહેલા જ રંગીલા રાજકોટ વાસીઓ ફરવા માટેના એડવાન્સ પ્લાનિંગ કરી લીધા હોય છે અને પેકેજ પણ મહિનાઓ અગાઉથી બુકિંગ થઈ જતા હોય છે આ વર્ષે સમર વેકેશનમાં અને ત્યારબાદ ઓફ સીઝનમાં લોકો વધારે ફયર્િ હોવાથી આ વખતે જન્માષ્ટમીના વેકેશનમાં આજુબાજુના સ્થળોએ અથવા તો ગુજરાતમાં જ ફરવા જવાના મૂડ બનાવ્યો હોવાનું ટ્રાવેલ એજન્ટો જણાવી રહ્યા છે.
દિવાળીમાં સમગ્ર દેશના લોકો ફરવા માટે બુકિંગ કરાવતા હોય છે જ્યારે જન્માષ્ટમી નું મહત્વ સૌરાષ્ટમાં સૌથી વધારે હોવાથી સાતમ આઠમના તહેવારોમાં મીની વેકેશન નો માહોલ હોવાના લીધે સૌરાષ્ટ્રવાસીઓ આ રજાની મજા માણવા માટે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટ્રીપ નું આયોજન કરતા હોય છે જ્યારે આ વખતે હજુ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી ટેક ઓફ થઈ નથી તેવું જણાવતા ટ્રાવેલ એજન્ટ દર્શિત મસરાણીએ જણાવ્યું હતું કે, આ વખતે ડિમાન્ડ નીકળી ન હોવાથી એરફેર અને હોટલ સહિતના ટ્રાવેલ પેકેજ માં પણ વધારો થયો નથી .સામાન્ય રીતે બાલી જવા માટેનું પેકેટ એક લાખનું હતું તેમાં ઘટાડો થઈ અત્યારે છ70,000માં આપેકેજબુક થઈ ગયા છે. જ્યારે અમદાવાદ થી ગોવા માટેની ટિકિટ ના ફેર 10000 થી ઓછા આ સિઝન દરમિયાન હોતા નથી. પરંતુ જન્માષ્ટમીના સમયગાળામાં પણ 6,000 ની આસપાસના ભાવ બોલાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું.
જ્યારે નૈમેશભાઈ કેસરિયાએ જણાવ્યું હતું કે રાજકોટ થી મુંબઈ અને દિલ્હીની ફ્લાઈટના ભાડા પણ આ જન્માષ્ટમીના સમયગાળામાં માત્ર ત્રણ ચાર દિવસ પૂરતા જ વધ્યા છે જ્યારે જન્માષ્ટમી પછી ના ભાડામાં ખાસ વધારો જોવા મળ્યો નથી. 24 ઓગસ્ટ થી 26 ઓગસ્ટ સુધી ના મુંબઈ અને દિલ્હીના ભાડામાં 10,000 થી 14,000 સાઇટ પર બતાવી રહ્યા છે. બાકીના દિવસોમાં મુંબઈ દિલ્હી કે પછી ગોવા, બેંગ્લોરના ભાડામાં ખાસ તફાવત નોંધાયો નથી. દર વર્ષે તહેવારોના સમયગાળામાં જે ભીડ જોવા મળે છે એવો ટ્રાફિક આ વખતે જોવા મળતો નથી.
આ જન્માષ્ટમીએ ધાર્મિક સ્થાનો પર વધુ પસંદગી
છેલ્લા ત્રણ વર્ષથી એટલે કે કોરોના પછીથી સાતમ આઠમ ના વેકેશનમાં મોટાભાગના લોકો સૌરાષ્ટ્ર અને ગુજરાતના ધાર્મિક સ્થાનકો પર વધારે જવા માટેની પસંદગી કરી રહ્યા છે. પરિવારના નાનાથી લઈને મોટા સભ્યો સાથે નજીકના સ્થળો પર જઈ શકાય તે માટે અને રજાના દિવસો પણ ઓછા હોવાથી લોકો સાતમ આઠમના તહેવારમાં દ્વારકા, શ્રીનાથજી, પાવાગઢ ,જુનાગઢ સહિતના સ્થળો પર પસંદગી ઉતારી રહ્યા છે જેમાં ધાર્મિક સ્થળોની સાથે આજુબાજુમાં કુદરતી સૌંદર્યનો નજારો પણ માણી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસલાયામાં ખ્વાજા માસુમશાહ સરકાર અને હાજી કમાલશા બાબાનો ઉર્ષ શરીફ
May 20, 2025 11:09 AMભાણવડના મોટા કાલાવડ ગામેથી જુગારધામ ઝડપાયું
May 20, 2025 11:05 AMખંભાળિયાના હર્ષદપુરની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ
May 20, 2025 11:00 AMશું જયશંકરના કારણે આતંકી મસૂદ અઝહર અને હાફિઝ સઈદ જીવતા બચી ગયા: કોંગ્રેસ
May 20, 2025 10:58 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech