જૂનાગઢમાં છેલ્લ ા ત્રણ દિવસથી લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં વધારો થયો છે. ગિરનાર પર્વત પર ૫૪ કિમી ઝડપે પવન ફૂંકાતા રોપ-વે સવારથી બંધ રહ્યો છે. શહેર કરતાં નવ ગણી વધુ પવનની ઝડપ નોંધાતા પર્વત પર સુસવાટા મારતા પવન થી પગથિયા ચડી જતા લોકોને પણ પવનની થપાટો નો સામનો કરવો પડ્યો હતો. પર્વત પર સીમલા મનાલી જેવું વાતાવરણ સર્જાયું છે .ઉષા બ્રેકો કંપની દ્વારા રોપવે બંધ હોવાથી સવારથી જ એડવાન્સ બુકિંગ ની કામગીરી બંધ રાખી હતી. ભેજ ઘટતા સુકા પવનથી વાતાવરણ ઠંડુગાર થયું છે. શહેરીજનો ગરમ વસ્ત્રોમાં ઢબુડાયેલા જોવા મળી રહ્યા છે. શહેરમાં પવનની ઝડપ અને ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજે નોંધાયેલા હવામાન મુજબ જૂનાગઢ શહેરમાં આજે લઘુતમ તાપમાન ૧૭.૧ , ભવનાથ તળેટી ૧૫.૧, ગિરનાર પર્વત ૧૨.૧, વાતાવરણમાં ભેજ ૪૮ટકા અને ૬.૧ ની ઝડપે પવન ફૂંકાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech