ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવતી ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ)ની પરીક્ષાના પેપરો માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ જિલ્લા કક્ષાના કેન્દ્રમાં મોકલી દેવામાં આવ્યા છે. આગામી તારીખ 23 ના રવિવારે પરીક્ષા લેવામાં આવશે. સમગ્ર રાજ્યમાંથી કુલ 1.29 લાખ પરીક્ષાર્થીઓ ગુજકેટની પરીક્ષા માટે નોંધાયા છે.
બોર્ડ દ્વારા આ વખતે પરીક્ષાર્થીઓને હોલ ટિકિટ ઓનલાઇન આપવામાં આવી છે અને તેના કારણે પ્રિન્ટ કરાવેલી આવી હોલ ટિકિટ પર આચાર્યના સહી સિક્કા જરૂરી ગણાવ્યા નથી. જોકે વિદ્યાર્થીઓએ પરીક્ષા ખંડમાં હોલ ટિકિટની પ્રિન્ટ સાથે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ધોરણ 12 પરીક્ષાની ઓરીજનલ હોલ ટિકિટ પૈકીનું કોઈ એક ફોટો આઈડી પ્રૂફ સાથે રાખવું પડશે.
સવારે 10:00 વાગ્યાથી બપોરના ચાર વાગ્યા સુધી રવિવારે લેવાનારી આ પરીક્ષામાં ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનના પેપરોમાં કુલ 120 મિનિટનો સમય અને 80 ગુણનું પત્ર પ્રશ્નપત્ર રાખવામાં આવેલ છે. જીવ વિજ્ઞાન અને ગણિતમાં 40-40 ગુણનું પ્રશ્નપત્ર અને 60-60 મિનિટનો સમય રાખવામાં આવેલ છે. જીવ વિજ્ઞાન અને ગણિતના પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે પરંતુ તે માટેની ઓએમઆર એન્સરશીટ પણ અલગ આપવામાં આવશે.
પરીક્ષાના સમયગાળા દરમિયાન કેન્દ્ર આસપાસના 100 મીટર વિસ્તારમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ અને અનધિકૃત વ્યક્તિઓની એન્ટ્રી પર મનાઈ, આસપાસની 100 મીટર વિસ્તારની ઝેરોક્ષની દુકાનો બંધ રાખવા સહિતના અનેક પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત લાઉડ સ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરીક્ષાની કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને પણ પોતાના આઈકાર્ડ સાથે રાખવા સૂચના આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech