ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા શ્રી જલારામ અન્નપુર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે તાજેતરમાં અત્રે બેઠક રોડ ઉપર આવેલી નવી લોહાણા મહાજન વાડી ખાતે વિના મુલ્યે એક્યુપ્રેશર તેમજ નિદાન કેમ્પ તથા રાશનકાર્ડ ઈ-કે.વાય.સી.ની કામગીરી સાથેના કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
લંડન સ્થિત જયેન્દ્રભાઈ હિન્ડોચાના આર્થિક સહયોગથી યોજવામાં આવેલા આ કેમ્પમાં રાજકોટના સર્વ હિત એક્યુપ્રેશર સેન્ટરના પ્રબંધક મધુબેન જોષી તેમજ તેમની ટીમ દ્વારા શરીરના દરેક રોગો જેવા કે કમરદર્દ, સાયટિકા, વા તેમજ સ્ત્રી રોગો તેમજ કોઈ પણ જુના રોગોના ઈલાજ એક્યુપ્રેશરના આધુનિક મશીનથી સારવાર કરવામાં આવી હતી. જેમાં આશરે 300 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.
આ ઉપરાંત આ કેમ્પની સાથે અહીંની મામલતદાર કચેરીના સહકારથી રાશન કાર્ડની ઈ-કેવાયસી માટેનો પણ કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેનો પણ આશરે 175 થી વધુ લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા શ્રી જલારામ અન્નપુર્ણા ગૃહના ટ્રસ્ટીઓ, કમિટી મેમ્બર, તેમની ટીમ તેમજ લોહાણા મહાજન ટ્રસ્ટના સલાહકાર એડવોકેટ જયેશભાઈ નથવાણી તેમજ તેમના ધર્મપત્ની, મુકેશભાઈ ઢાંકી, કિરણભાઈ બરછા સાથે અન્ય સેવાભાવી કાર્યકરોનો નોંધપાત્ર સહયોગ સાંપળ્યો હતો. આ તબક્કે ટ્રસ્ટ દ્વારા દાતાઓ તેમજ તમામ દર્દીઓ અને સેવા કરનાર દરેક સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech