વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ અને ડીવાઈન ટ્રસ્ટ દ્વારા આયોજન
શ્રીવર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ- રાજકોટ અને ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા પ.પૂ.ધીરગુરુદેવની પ્રેરણાથી તા.૧૪-૬-૨૫ ને શનિવારે સવારે ૯ થી ૧ નિઃશુલ્ક દંત યજ્ઞ અને નિ:શુલ્ક દાંતની બત્રીસીના કેમ્પનું ભવ્ય આયોજન ધ્રોલ મુકામે શ્રી ઉમિયાજી પાર્ટી પ્લોટ,પેટ્રોલ પંપ પાસે રાજકોટ રોડ, મુ.ધ્રોલ ખાતે કરવામાં આવેલ છે.
કેમ્પના મુખ્ય દાતા સ્વ.નિર્મળાબેન અમૃતલાલ શેઠ અને સ્વ. વનિતાબેન વસંતલાલ મહેતા પરિવાર હસ્તે એડવો.યોગેશભાઈ મહેતા અને સતીષભાઈનો સહયોગ પ્રાપ્ત થયેલ છે. આ સેવા કેમ્પમાં ડો.જયસુખભાઈ(બી.એ.એ.એસ.ડી.વી.વી.સી.એફ.એન.) અને તેમની ટીમ મોનિકા ભટ્ટ,જાગૃતિ ચૌહાણ, હસુભાઈ મકવાણા, રાજુભાઈ વરિયા સેવા પ્રદાન કરશે. દાંતના રોગોની તપાસ કરી જરૂરીયાત મુજબ તેમના દાંત જાલંધર બંધ વડે ઇન્જેકસન વગર સ્થળ પર જ કાઢી આપશે અને પાયોરિયા, પેઢાંમાંથી લોહી પડવું દાંતમાં દુ:ખાવો વિગેરે રોગોની દવા પણ આપવામાં આવશે. જરૂરિયાત વાળા વૃધ્ધોને દાંતની બત્રીસી ફ્રી બનાવવાની વ્યવસ્થા કરેલ છે. દંત યજ્ઞ બત્રીસી કેમ્પ માટે નામ નોંધણી કરાવવા સતીષભાઈ શેઠ ૯૭૧૨૯૩૪૧૧૧ મો. ૯૮૨૫૨૨૨૯૫૫ અથવા મોનિકા ૭૦૪૬૪૭૫૪૦૪ નો સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ એરપોર્ટ પર પ્લેન ક્રેશ: ટેક-ઓફ બાદ જ દુર્ઘટના, CCTV સામે આવ્યા!
June 12, 2025 08:40 PMઅમદાવાદ વિમાન દુર્ઘટનામાં નવપરિણીત દુલ્હનની પહેલી ઉડાન બની અંતિમ ઉડાન
June 12, 2025 08:39 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech