કસ્તુરબાધામ ખેડૂત સેવાદાયી સહકારી મંડળીની યોજાયેલી ચૂંટણીમાં નિશિત ખૂટ અને નીતિનભાઈ રૈયાણી ની પેનલ વિજેતા બની છે. આ ચૂંટણીમાં રાજકોટ લોધીકા સહકારી ખરીદ વેચાણ સંઘના પૂર્વ વાઇસ ચેરમેન અરજણભાઈ રામાણી સંજયભાઈ ત્રાપસીયા અને બલુભાઈ નસીત જુથની હાર થઈ છે.
સહકારી ક્ષેત્રમાં આ ચૂંટણી પ્રમાણમાં નાની ગણાય પરંતુ તેમાં પૂર્વ મંત્રીઓ અરવિંદભાઈ રૈયાણી જયેશભાઈ રાદડિયા સહિતનાઓ સક્રિય હતા.
થોડા સમય પહેલા આજ સંસ્થાનું સાહિત્ય મંડળીના અમુક હોદ્દેદારો પોતાના ઘેર લઈ ગયા હોવાની અને બધં બારણે ચૂંટણી સંપન્ન કરી હોવાના આક્ષેપો થયા પછી સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પણ પહોંચ્યો હતો. સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતાઓના આખી રાતના ઉજાગરા પછી સમાધાન થયું હતું. જે તે વખતે થોડો સમય માટે પાછી ઠેલવામાં આવેલી આ ચૂંટણી ગઈકાલે યોજાઇ હતી અને તેમાં જયેશભાઈ રાદડિયા જૂથે સહકારી ક્ષેત્રનું પોતાનું વર્ચસ્વ વધુ એક વખત સાબિત કરી દીધું છે.
કસ્તુરબાધામ ખેડુત સેવાદાયી સહકારી મંડળીમાં કુલ ૫૯૩ મતદારો છે. તેમાંથી ૪૯૦ નું મતદાન થયું હતું. નિશિત ખૂટ અને નીતિન રૈયાણીની પેનલને ૩૧૪ થી ૩૬૧ મત મળ્યા હતા.
થોડા સમય પહેલા રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી હતી. ચેરમેન તરીકે જયેશભાઈ બોઘરા ને રીપીટ કરવામાં આવ્યા હતા અને વાઇસ ચેરમેન તરીકે વિજયભાઈ કોરાટ ચૂંટાઈ આવ્યા હતા.આ બંને જયેશભાઈ રાદડિયા જૂથના હોવાનું માનવામાં આવે છે. કસ્તુરબાધામની ચૂંટણીમાં પણ જયેશભાઈ રાદડિયા જૂથ પોતાનું વર્ચસ્વ સાબિત કરવામાં સફળ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટમાં વિનામૂલ્યે મળશે પ્રવેશ
May 19, 2025 05:05 PMએડવેન્ચર એક્ટીવીટી કરવાનો શોખ હોય તો જાણો બંજી જમ્પિંગ માટે ભારતના આ 5 સ્થળો વિષે
May 19, 2025 04:56 PMપોરબંદરમાં એક્રેલિક કલર નું લાઈવ ડેમોસ્ટ્રેશન યોજાયું
May 19, 2025 04:55 PMસિલ્કની સાડી અને સુટ ધોતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ચમક રહેશે નવા જેવી જ
May 19, 2025 04:50 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech