બરડા ડુંગરમાં દબાણ હટાવ ઝુંબેશના નામે વનવિભાગે કર્યુ આંબાનું છેદન!

  • May 17, 2025 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર નજીકના બરડા ડુંગરમાં ફોરેસ્ટની જગ્યામાં ઘણા વર્ષોથી કેટલાક લોકોએ આંબાનું વાવેતર કર્યુ હતુ. તે દબાણ ગણીને તેને દુર કરવા માટે વનવિભાગની ટીમે આંબાઓનું આડેધડ છેદન કરીને પર્યાવરણ  અને પ્રકૃતિને મોટું નુકશાન પહોંચાડતા લોકો આક્રોશ ઠાલવી રહ્યા  છે. પોરબંદરના બરડા ડુંગર વિસ્તારમાં વનવિભાગ દ્વારા ખંભાળા ડેમ નજીક કાંઠાળ વિસ્તારમાં આઠેક વર્ષથી મોટી માત્રામાં આંબાનું વાવેતર કરવામાં આવ્યુ હતુ. આ આંબા પેશકદમી  કરીને વાવવામાં આવ્યા છે તેમ જણાવીને વનવિભાગના અધિકારીઓએ મોટી સંખ્યામાં વાવેલ આંબાનું આડેધડ છેદન કરી નાખ્યુ હતુ. 
સ્થાનિક માલધારીઓએ એવુ જણાવ્યુ હતુ કે અમે વનવિભાગના અધિકારીને વિનંતિ  કરી હતી કે અમારો સ્થળાંતરનો પ્રશ્ર્ન ટૂંક સમયમાં ઉકેલાઇ જશે તેથી જો આ દબાણ ગણવામાં આવતુ હોય તો પણ વનવિભાગે તેને કાપવા જોઇએ નહી કારણકે જંગલખાતાની જવાબદારી વન અને પર્યાવરણની રક્ષા કરવાની છે તેના બદલે આંબાના વૃક્ષો ઉપર બુલડોઝર ફેરવીને અધિકારીઓ શું  સાબિત કરવા માંગે છે? અંતે તે સરકારની જમીન હોય તો પણ ત્યાં ફેન્સીંગ કરીને યથાવત રીતે રહેવા દેવા જોઇએ તેવી વિનંતિ કરવા છતાં એકપણ વાત અધિકારીઓએ સાંભળી ન હતી અને વૃક્ષોનું છેદન કરી નાખ્યુ હતુ.  આ અંગે વનવિભાગના અધિકારીઓનો સંપર્ક સાધવામાં આવતા તેમના ફોન નો રીપ્લાય થયા હતા અને વિધિવત રીતે પે્રસનોટ ગૃપમાં શેર થશે તેવી ચર્ચા ચાલી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application