ગીરના સાવજો માટે વન વિભાગની પાણીની વ્યવસ્થા: 500 કૃત્રિમ પોઈન્ટ તૈયાર

  • March 19, 2025 09:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીરના સાવજો અને અન્ય વન્યપ્રાણીઓને ઉનાળામાં પાણીની તંગી ન પડે તે માટે વન વિભાગે ખાસ વ્યવસ્થા કરી છે. ગીર પશ્ચિમ વિસ્તારમાં 271 અને અન્ય જંગલ વિસ્તારમાં 271 મળીને કુલ 500થી વધુ કૃત્રિમ પાણીના પોઈન્ટ શરૂ કરવામાં આવ્યા છે. આ પોઈન્ટ્સ પર સોલાર પેનલ, પવનચક્કી અને ટેન્કરની મદદથી પાણી ભરવામાં આવે છે.


વન વિભાગ દ્વારા કીડીથી લઈને સિંહ સુધીના તમામ જીવજંતુઓ અને વન્યપ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. અગાઉ અવેડા બનાવવામાં આવતા હતા, પરંતુ હવે રકાબી જેવા નાના પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા છે, જેથી નાના જીવોને પણ પાણી મળી રહે. જંગલ વિસ્તારમાં ચાર પ્રકારે પાણીનાં પોઈન્ટ કાર્યરત છે. જેમાં સોલાર પેનલ, પવનચક્કી, મજૂરો અને ટેન્કર દ્વારા પાણી ભરવામાં આવી રહ્યું છે.


વન વિભાગ દ્વારા ગીર જંગલમાં દર બેથી ત્રણ કિલોમીટર વચ્ચે આવા કુંડ બનાવવામાં આવ્યા છે. આ કુંડમાં સમયાંતરે પાણી નાખવામાં આવે છે. પાણીના કુંડ પાસે સોડિયમ ઈંટ પણ મૂકવામાં આવી છે, જેથી વન્ય પ્રાણીઓ તેની જરૂરિયાત મુજબ સોડિયમ મેળવી શકે. વન વિભાગનો 500થી વધુનો સ્ટાફ આ પાણીના પોઈન્ટ્સની દેખરેખ રાખી રહ્યો છે, જેથી વન્યપ્રાણીઓને પાણીની કોઈ તકલીફ ન પડે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application