ધુળેટીના પર્વ બાદ ચોપાટી પર પાંચ ટન કચરો થયો એકત્ર

  • March 17, 2025 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં હોળી-ધુળેટીના પર્વ બાદ ચોપાટી પર મહાસફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ અને અંદાજે પાંચ ટનથી વધુ કચરો એકત્ર કરવામાં આવ્યો હતો.
કમિશ્નર  તથા નાયબ  મ્યુનિસિપલ  કમિશ્નર (પ્રોજેકટ)ની સુચના અનુસાર સેનિટેશન વિભાગ દ્વારા હોળી તથા ધુળેટીના તહેવાર બાદ શહેરના દરેક વિસ્તારોમાં હોળી પ્રગટાવવામાં આવેલ જેમના વેસ્ટ નીકળેલ  તેમની સફાઇ કરવામાં આવેલ. વધુમાં ચોપાટી ખાતે મોટી માત્રામાં લોકોએ ધુળેટીનો તહેવાર મનાવવામાં આવ્યો હતો. જેમાં ચોપાટીમાં મોટી માત્રામાં કલર, પ્લાસ્ટિક કચરો, પ્લાસ્ટિકની બોટલો લોકો દ્વારા ત્યાંજ ફેકી આપવામાં આવેલ હતો. જેની મહાનગરપાલિકા દ્વારા બીજા દિવસે સફાઇ કરી અંદાજિત પાંચ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application