હુમલો મારી નાખવાની ધમકી
દ્વારકા તાલુકાના વરવાળા ગામે રહેતા રાજેશભાઈ કાયાભાઈ ઓડીચ નામના 45 વર્ષના બ્રાહ્મણ યુવાન સોમવાર તારીખ 12 ના રોજ તેમના કુટુંબી ભાઈ ખુશ તથા મિત્રો સાથે વરવાળા ગામે ઉર્ષના મેળામાં ગયા હતા. ત્યારે રાત્રિના આશરે દસેક વાગ્યાના સમયે રાઇડ્ઝમાં બેસવા બાબતે ફરિયાદી રાજેશભાઈના કુટુંબી ભાઈ તથા આરોપીઓ ફૈઝલ, અનીલ ગીગલા, ભાવેશ માણેક, કમલેશ માણેક અને જસરાજભા માણેક નામના પાંચ શખ્સો સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી.
અહીંથી તેઓ છૂટા પડ્યા બાદ ફરીથી દ્વારકા ખાતે રાત્રીના આશરે બારેક વાગ્યાના સમયે ફરિયાદી રાજેશભાઈ કાયાભાઈ તેમજ આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં આરોપીઓએ એકસંપ કરી, ફરિયાદી રાજેશભાઈ તથા તેમના પુત્ર અને અન્ય સાહેદોને બિભત્સ ગાળો કાઢી, ઢીકા-પાટુનો માર માર્યો હતો. આટલું જ નહીં, આરોપીઓએ લોખંડના પાઇપ તેમજ લાકડાના ધોકા વડે હુમલો કરી, તેઓને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી.
આ ઉપરાંત આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે રાજેશભાઈ કાયાભાઈ બ્રાહ્મણની ફરિયાદ પરથી તમામ પાંચ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની તેમજ જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના હેડ કોન્સ્ટેબલ ડી.જે. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ભાજપ દ્વારા ભારતીય સેનાના પરાક્રમના સન્માનમાં તીરંગા યાત્રા યોજાઈ
May 14, 2025 06:58 PMગુજરાત સરકારે નબળા વર્ગો માટે લીધો મોટો નિર્ણય, આવક મર્યાદા વધારી આટલા લાખ રૂપિયા કરી
May 14, 2025 06:03 PMજામનગર મનપામાં લાખોટા તળાવની પાળે રેકડીઓ બંધ કરાવવા મામલે વિપક્ષ નગરસેવિકા વિફર્યા
May 14, 2025 05:54 PMસચાણાના યુવકે ઇન્સ્ટામાં વિડીયો શેર કર્યો..અને પોલીસે કરી ધરપકડ.
May 14, 2025 05:52 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech