ચંદીગઢ કોર્ટ કોમ્પ્લેક્સમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. લગ્નના વિવાદને લઈને બે પક્ષો ફેમિલી કોર્ટમાં આવ્યા હતા. આ દરમિયાન પંજાબ પોલીસના પૂર્વ એઆઈજી માલવિંદર સિંહ સિદ્ધુએ તેમના જમાઈ પર ગોળીબાર કર્યો, જેના કારણે તેમનું મોત થઈ ગયું હતું. મૃતક જમાઈ કૃષિ વિભાગમાં આઈઆરએસ હતા.
બંને પક્ષો વચ્ચે બોલાચાલી ચાલી રહી હતી ત્યારે આરોપીએ બાથરૂમ જવાનું કહેતા જમાઈએ કહ્યું કે હું રસ્તો બતાવું અને બંને રૂમની બહાર નીકળી ગયા.
આ દરમિયાન આરોપીએ તેની બંદૂકમાંથી પાંચ ગોળી ચલાવી. જેમાંથી બે ગોળી યુવાનને વાગી હતી. એક ગોળી અંદરના રૂમના દરવાજા પર વાગી હતી. બે ફાયર ખાલી ગયા. ગોળીનો અવાજ આવતા જ કોર્ટમાં હંગામો મચી ગયો હતો. ઘટનાસ્થળે પહોંચેલા વકીલોએ આરોપીને પકડીને રૂમમાં બંધ કરી દીધો અને પોલીસને જાણ કરી.
આ પછી ઘાયલને સેક્ટર 16ની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ રસ્તામાં જ તેનું મોત થઈ ગયું. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રૂમમાં બંધ આરોપીની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિવિલ જજ બનવા માટે વકીલ તરીકે ત્રણ વર્ષનો અભ્યાસ જરૂરી: સુપ્રીમ કોર્ટનો નિર્ણય
May 20, 2025 02:27 PMભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ટીઆરએફ વિરુદ્ધ પુરાવા રજૂ કર્યા
May 20, 2025 02:25 PMસીઝફાયરમાં ટ્રમ્પની કોઈ ભુમિકા નહી પરમાણુ ધમકી પણ નહી: વિક્રમ મિસરી
May 20, 2025 02:24 PMશું રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સમા? સ્ટીવ વિટકોફના નિવેદન પછી ચર્ચા શરૂ
May 20, 2025 02:16 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech