મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક દર્દનાક અકસ્માત સામે આવ્યો છે. સંભાજીનગરના છાવણી વિસ્તારમાં આવેલા એક મકાનમાં રાત્રે આગ ફાટી નીકળી હતી. આગ એટલી ગંભીર હતી કે એક જ પરિવારના 7 લોકોના મોત થયા હતા.
મળતી માહિતી મુજબ માયર્િ ગયેલા 7 લોકોમાં 3 મહિલાઓ, 2 બાળકો અને 2 પુરૂષોનો સમાવેશ થાય છે. બિલ્ડિંગમાં આગ લાગી ત્યારે પરિવાર સૂતો હતો. હાલ તમામ મૃતદેહોને છત્રપતિ સંભાજી નગરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આગ એટલી ભીષણ હતી કે તેના ધુમાડા કેટલાય મીટર દૂરથી જોઈ શકાતા હતા. ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો.
સરકારી હોસ્પિટલની બહાર પણ લોકોની ભીડ જોવા મળી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે જે ઈમારતમાં આગ લાગી તે ત્રણ માળની ઈમારત હતી.. ગ્રાઉન્ડ ફ્લોર પર કપડાની દુકાન હતી, જેમાં આગ લાગી હતી. આગના કારણે ઉપરના માળે રહેતા પરિવારનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : દરીયાઈ વિસ્તાર નજીકના અનધિકૃત ધાર્મિક દબાણો દૂર કરાયા
May 21, 2025 11:59 AMજામનગર શહેરમા મહાનગર પલિકા દ્વારા મેગા ડિમોલેશન
May 21, 2025 11:54 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech