માધવ દર્શન કોમ્પ્લેક્સમાં આવેલાં દિવ્યનિર્માણ જવેલરી શો-રુમમાં આગ

  • May 26, 2025 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેર મધ્યેના માધવ દર્શન કોમ્પ્લેક્સમાં આવેલાં દિવ્યનિર્માણ જવેલરી શો-રૂમમાં શોકસર્કિટના કારણે આગ લાગતાં શોરૂમમાં ચાલતી સંચાલક અને સ્ટાફની મિટીંગમાં દોડધામ મચી ગઈ હતી.  આગના કારણે શોરૂમમાં રહેલું ફર્નિચર, જવેલરી સહિતની મત્તા બળીને ખાક થઈ ગઈ હતી. જો કે, આગ વધુ પ્રસેર તે પૂર્વે ફાયરની ટીમે સ્થળ પર આવી એક ગાડી પાણીનો છંટકાવ કરી કાબૂમાં લીધી હતી. આ બનાવમાં સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.
શહેરના વાઘાવાડી રોડ રાધામંદિર સામે આવેલાં માધવ દર્શન કોમ્પ્લેક્સ સ્થિત બે માળની દિવ્યનિર્માણ નામની જવેલરીના શો-રૂમના નીચેના માળે અંદાજે ૧૫થી વધુ સ્ટાફ સાથે મિટીંગ ચાલી રહી હતી. ત્યારે ઓફિસમાં અચનાક આગ ભભૂકી ઉઠી હતી.જેના કારણે સ્ટાફ અને સંચાલકોએ ઈમરજન્સી એક્ઝિટ ડોરથી હેમખેમ બહાર નિકળી ગયા હતા.   આગ લાગ્યાનો સંદેશો મળતાં જ અગ્નિ શામક દળ સ્થળ દોડી ગયું હતું.આગના કારણે શોરૂમના ગ્રાઉન્ડ ફલોર અને બેઝમેન્ટમાં આવેલી ઓફિસમાં ધુમાડાના કારણે પહોંચવું અશક્ય હતું. તેમ છતાં ફાયર ફાયટરોએ શોરૂમમાં પ્રવેશી પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જો કે, આગના કારણે ફર્નિચર, જવેલરી સહિતની મત્તા બળી ગઈ હોવાનું સંચાલકે જણાવ્યું હતું. અને આગના કારણે નુકશાનીનો અંદાજ જાણવા મળ્યો ન હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application