મોટાભાગે લોકો ઠંડીમાં રજાઇ અને બ્લેન્કેટમાં રહેવા માંગે છે. જો કે, ઘણી વખત ધાબળો કે બ્લેન્કેટ ઓઢ્યા પછી પણ લાંબા સમય સુધી પગ ઠંડા રહે છે. ઘણા પ્રયત્નો પછી પણ પગ ગરમ થતા નથી. ક્યારેય વિચાર્યું છે કે રજાઈ કે બ્લેન્કેટથી ઢાંકવા છતાં પગ ઠંડા રહેવા પાછળનું કારણ શું હોય શકે? તો જાણો તેની પાછળ હોય શકે છે કોઈ ગંભીર બીમારીનો સંકેત.
બ્લેન્કેટમાં રાખવા છતાં કેમ પગ ગરમ નથી થતા?
1. રક્ત પરિભ્રમણની સમસ્યા
જો બ્લેન્કેટ,અ રાખ્યા પછી પણ પગ લાંબા સમય સુધી ઠંડા રહે છે, તો તેનું એક કારણ ખરાબ રક્ત પરિભ્રમણ હોય શકે છે. કારણ કે જ્યારે લોહીનો પ્રવાહ યોગ્ય ન હોય ત્યારે તે શરીરના નીચેના ભાગોમાં ખાસ કરીને પગ સુધી પહોંચી શકતો નથી, જેના કારણે ત્યાં ગરમી નથી પહોંચતી અને પગ ઠંડા રહે છે. આવી સ્થિતિમાં સાવધાન રહેવાની જરૂર છે.
2. ડાયાબિટીસ
ડાયાબિટીસના દર્દીઓની રક્તવાહિનીઓ અને નસો પર દબાણ વધી જવાને કારણે રક્ત પરિભ્રમણ પ્રભાવિત થઈ શકે છે. જેના કારણે પગ ઠંડા રહે છે અથવા તે સુન્ન થઈ શકે છે. આ ન્યુરોપેથીની સમસ્યા છે, જે નર્વસ સિસ્ટમને અસર કરી શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ આવા કોઈપણ સંકેતની અવગણના ન કરવી જોઈએ.
3. થાઇરોઇડ
થાઈરોઈડ ગ્રંથિના અસંતુલનને કારણે શરીરનું તાપમાન નિયંત્રણમાં રહેતું નથી. હાઈપોથાઈરોડીઝમ શરીરના તાપમાનની સંવેદનશીલતાને અસર કરે છે, જેના કારણે પગ બ્લેન્કેટમાં રાખવા જવા છતાં ગરમ નથી થતા. જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહે તો તે થાઈરોઈડની ગંભીર બિમારીનો સંકેત પણ હોય શકે છે. આવી સ્થિતિમાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
4. એનિમિયા
શરીરમાં લોહીની ઉણપ એ એનિમિયા છે. આ રોગમાં શરીરના તમામ ભાગોમાં યોગ્ય માત્રામાં ઓક્સિજન પહોંચતું નથી, જેના કારણે પગ ઠંડા રહે છે અને થાક લાગે છે. આયર્નની ઉણપથી પીડિત લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે.
5. ચેતા સમસ્યાઓ
નસોમાં સોજો અથવા રેનાઉડ સિન્ડ્રોમ અથવા રુધિરાભિસરણ સમસ્યાઓના કારણે, પગ યોગ્ય રીતે ગરમ થઈ શકતા નથી. કલાકો સુધી રજાઇ અને બ્લેન્કેટ ઓઢીને બેસી રહેવા છતાં તે ઠંડા રહે છે. જ્ઞાનતંતુઓને લગતી આવી સમસ્યાઓને ગંભીરતાથી લેવી જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech